SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર [ શ્રીવિશ્વવંધવિચારરત્નાકર ૨૭૫. યોગ્ય પ્રકારની અનુકૂળ માનસ સ્થિતિઓ પ્રથમ તે શરીરની અવ્યવસ્થા ટાળીને તેને વ્યવસ્થામાં મૂકે છે, અને પછી શરીરમાં એવા પ્રકારના રાસાયનિક ફેરફાર કરે છે કે જેથી પછી ધીરે ધીરે સધળી ઈદ્રિયો અને માનસિક શકિતઓ પિતાપિતાના વ્યાપાર સંપૂર્ણ યથાર્થ પ્રકારે કરે છે. સ્વલ્પમાં, તેઓ મનના અને શરીરના પ્રત્યેક ભાગને વિશુદ્ધ કરીને અને તેમનો વિકાસ કરીને, ઊંચા પ્રકારના મનને તથા શરીરને ઉત્પન્ન કરે છે. ૨૭૬. યથાર્થ પ્રકારના માનસ વ્યાપાર કરવાથી શરીર વિશુદ્ધ કરી શકાય છે; અને આમ નિત્ય ચાલતાં જીવવાને આનંદ વધતો જત જણાય છે. વ્યાધિ, દુર્બળતા, અને શરીરમાં બેચેની થવાને સ્વભાવ ઘટી જાય છે, અને આત્માને પિતાનાં અમર્યાદ સામને બહાર જણાવવાનાં સાધન જે આ શરીર તથા મન છે, તે વધારે ને વધારે પૂર્ણતાવાળાં થતાં જાય છે. ૨૭૭. ઘણી વાર જેને આપણે ભૂલે કહીએ છીએ, તે ભૂલ હતી નથી; માત્ર આપણી તે સમયની દૃષ્ટિને જ તે ભૂલરૂપ જણાવાથી આપણે તેની ભૂલમાં ગણના કરીએ છીએ. એકને જે ભૂલરૂપ જણાય છે, તે બીજાને સાચું જણાય છે, અને એકને જે સાચું જણાય છે, તે બીજાને ભૂલરૂપ જણાય છે. ૨૭૮. કોઈપણ ક્રિયાને પરિણામ જ્યાંસુધી હાનિકારક નથી આવ્યો, ત્યાંસુધી તે ક્રિયા કરવામાં તે મનુષ્ય ભૂલ કરી છે, એમ કહેવું, એ ડહાપણુ ભરેલું નથી. આરંભમાં જે ભૂલવું જણાય છે, તે ઘણી વાર પરિણામ આવતાં, અત્યંત ખરામાં ખરું કાર્ય જણાય છે. આથી બહારનું સ્વરૂપ જોઈને કઈ વાતને નિર્ણય બાંધી દેવો, એ ભુલાવામાં નાંખનાર છે. ૨૭૮. એક શતકની પ્રજાએ કરેલી ભૂલે કઈ કઈ વાર બીજા શતકની પ્રજાને ગુણકારક થઈ પડે છે, અને તે જ પ્રમાણે કેઈ શતકની પ્રજાએ વિચારપૂર્વક કરેલાં ઉત્તમ કામ, બીજા શતકની પ્રજાને મહાહાનિકારક થઈ પડે છે. આથી બીજાઓમાં તથા આપણામાં જે આપણને ભૂલજેવું જણાતું હોય તે પ્રતિ ક્ષમા બુદ્ધિ રાખવી, અને તેનું વિસ્મરણ કરવું, એ લાભકારક છે. આ સાથે આપણુથી બનતું સર્વોત્તમ કરવું એ અધિક લાભકારક છે. ૨૮. આપણું પિતાના વિવિધ દૃષ્ટિબિંદુથી બેટી જણાતી પ્રત્યેક વાત ખોટી હોતી નથી, માત્ર પ્રતિકૂળ પરિણામને પ્રકટાવનાર બાબત જ ખોટી હોઈ શકે છે, પરંતુ આપણે સ્મરણમાં રાખવું જોઈએ કે પ્રતિકૂળ પરિણામને પ્રકટાવ
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy