SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ [ શ્રી વિશ્વવંદ્યવિચારરત્નાકર ૨૪. હાથમાં લીધેલા એક જ કામમાં સંપૂર્ણ રસવાળા થવું, એ એકગ્રતાની કૂંચી છે; અને હાથમાં લીધેલા કામમાં અત્યંત રસ ઉત્પન્ન કરે, એ અંશ કયો છે, તે શેધી કાઢવાથી આ રસવૃત્તિ જાગ્રત કરી શકાય છે. એવો આ જગતમાં એક પણ વિય અથવા વસ્તુ નથી કે જે અમુક દષ્ટિબિંદુથી જોતાં આપણને રસવાળે ન ભાસે. આથી તે વિષયમાં રહેલા રસવાળા ભાગો શોધી કાઢવા પ્રયત્ન કરે; અને તે શેધવા માંડતાં, પ્રયત્ન કર્યા વિના જ તમને તે વિષયમાં સંપૂર્ણ રસ પ્રકટશે. આમ આ અત્યંત સરળમાં સરળ ઉપાયથી આપણું ચિત્ત આપણે હાથમાં લીધેલા વિષયમાં અનન્યાસક્ત થાય છે, અને જરા પણ વિશેષ પ્રયત્ન કર્યા વિના, આપણું સઘળું માનસ બળ જે એક કામ કરવાને આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ તેમાં એકાગ્ર થાય છે. ૨૫૦. વ્યવહારમાં તથા પરમાર્થમાં આપણે સર્વોત્તમ ઉદય કરવા માટે બીજું જે કરવાની આપણે અગત્ય છે તે એ કે વસ્તુઓની આપણે એવા પ્રકારની વ્યવસ્થા કરવી કે તેઓ સર્વ આપણું હિત જ કરવાને માટે એકત્ર થઈને પ્રવૃત્તિ કરે. કશાને પણ આપણું વિરુદ્ધ આપણે પ્રવૃત્તિ કરવા દેવી ન જોઈએ, પરંતુ સઘળી વસ્તુઓને આપણે અનુકૂળ પ્રવૃત્તિ કરવાને પ્રેરવી જોઈએ; અને સઘળી વસ્તુઓ આપણી સેવા કરવાને સર્વદા તત્પર છે, તેથી આપણે અનુકૂળ, સઘળી વસ્તુઓની એકત્ર પ્રવૃત્તિ કરાવવી સંભવિત છે. તત્ત્વજ્ઞ પુરુષ તરફથી એવું કહેવામાં આવ્યું છે કે જે મનુષ્ય કેવળ શુભ જ ઈચ્છે છે, તેનું હિત કરવાની જ સઘળી વસ્તુઓ એકત્ર થઈને પ્રવૃત્તિ કરે છેઅને શુભની તેની ઇચ્છા બળવાન, દહ, કશાથી પણ ન ડગે એવી, અને ખરા અંતઃકરણની હોવી જોઈએ, એટલા શબ્દ જે આપણે ઉપરના કથનમાં ઉમેરીએ તે તે કથન કેવળ સત્ય છે. ૨૫. કેવળ શુભને જ ઈચછનારા ઘણા મનુ મળી આવે છે, પરંતુ તેમની ઇચ્છા એટલી દુર્બળ, એટલી નિવયે અને એટલી અસ્થિર હોય છે કે તે વસ્તુઓના તથા આજુબાજુના સંજોગોના ઉપર કશી જ સત્તા ચલાવી શકતી નથી. પરંતુ જ્યારે કોઈ મનુષ્ય કેવળ શુભને જ ચડે છે, અને તે ઈચ્છામાં પિતાનું સમગ્ર જીવન નાંખે છે ત્યારે તેના જીવનની સાથે સંબંધ ધરાવતી પ્રત્યેક વસ્તુ સ્વભાવથી જ તેને અનુસરે છે, અને શુભને ઉત્પન્ન કરવાના તેના પ્રયત્નને સર્વ રીતે મદદ કરે છે. જ્યારે એક જ દિશામાં સમગ્ર જીવનને વાળવામાં આવે છે ત્યારે તે જીવનના સંબંધની સઘળી વસ્તુઓ તે દિશામાં ગતિ કરવા માંડે છે અને જેને
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy