SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ [ શ્રીવિઝવવંદ્યવિચારરત્નાકર વિના, એકાગ્રતા કરવાનો પ્રયત્ન કરવાથી માત્ર એટલે જ પરિણામ આવે છે કે આપણે આપણા સંકલ્પબળથી આપણી વૃત્તિઓને બળાત્કારથી આપણા વાધીનમાં રાખી શકીએ છીએ. જો કે આ રીતે ક્ષણિક અને નહિ જેવી એકાગ્રતા સિદ્ધ થાય છે તે પણ તેથી મનને પિતાને તે હાનિ જ થાય છે. જ્યારે સંકલ્પશક્તિ મન ઉપર પિતાનું બળ વાપરે છે ત્યારે સામાન્ય રીતે મનનું તેમ જ તેની જુદી જુદી શક્તિઓનું બળ તથા તેજસ્વીપણું ઘટે છે. ૨૪૩. આપણા શરીરના કોઈ પણ ભાગઉપર આપણે બળાત્કાર વાપરો ન જોઈએ, પરંતુ જે વસ્તુની આપણને ઈચ્છા હોય તેના આવશ્યક કારણની નિયમિત પ્રકારે ઉત્પત્તિ કરીને તે વસ્તુ આપણે સંપાદન કરવી જોઈએ. એકાગ્રતા કરવા પ્રયત્ન કરે, એ કારણને ઉત્પન્ન કર્યા વિના બળાત્કારથી કાર્યને ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરવા તુલ્ય છે, અને તેથી તેમ કરવાથી લાભ ન થતાં ઘણી હાનિ થાય છે. ૨૪૪. એકાગ્રતા કરવાની જે વિવિધ પ્રચલિત રીતિઓ છે, તે સર્વ કઈ પણ વાતમાં મન ધ્યાન દઈને જેડાય, તેટલા માટે જે જોઈએ, તે કરવાનું ન સૂસવતાં માત્ર મનને ધ્યાનપૂર્વક જેવા પ્રયત્ન કરવાનું જ સૂચવે છે. આવી રીતે પ્રબોધ કરનારાઓને આચારમાં મૂકી શકાય એવા માનસ શાસ્ત્રનું અથવા અધ્યાત્મશાસ્ત્રનું જ્ઞાન હોતું નથી, અને તેથી તેઓ જાણતા હોતા નથી કે બળથી કોઈ વિષયમાં મનને જોડી રાખવાથી શૂન્યમનસ્કતા (absentmindedness ક્યા વિષયમાં મનને જોડી રાખ્યું છે તેનું અભાન) અને એકાગ્રતાને કેવળ અભાવ ઉત્પન્ન થાય છે. ૨૪૫. જ્યારે જયારે કોઈ પદાર્થઉપર તમે તમારું ધ્યાન ચોંટેલું રાખો છો (કેઈ વિષય ઉપર ધ્યાનને જોડેલું તમે રાખી શકવાના નહિ) ત્યારે ત્યારે તમારું મને ગમે તેવા માલવિનાના વિચારમાં ચઢી જાય છે, વિચારની સ્પષ્ટ શ્રેણી બંધ પડી જાય છે, અને ઉપયોગી કાર્યો ઉપરથી વિજ્ઞાનને અંકુશ ખસી જાય છે. કેઈ નિર્ણય કરેલા વિષય ઉપર તમારા મનને ક્યાં સુધી જોડી રાખવાનું તમારામાં સામર્થ્ય છે, તેની અજમાયશ કદી પણ કરતા ના; તેમ જ જે વિષયોમાં તમને જરા પણ રસ ન હોય તે સંબંધી વિચાર કરવાની તમારા મનને કદી પણ ફરજ પાડતા ના. આ વિષયો ઉપર ધ્યાન આપવાથી તમને લાભ થાય એમ હોય તે તેમાં સ્વાભાવિક અને પ્રબળ રસને પ્રથમ પ્રકટાવો; અને આ રસ એક ઘણું સાદી ક્રિયાના અભ્યાસવડે તમે તમારામાં પ્રકટાવી શકશે.
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy