SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ [શ્રીવિશ્વવંધવિચારરત્નાકર કરે છે ત્યારે ધ્યાન આપીને તેની પ્રત્યેક ક્રિયા શું તમે અલેક છે? મનુષ્યોના મોટા ભાગને ચેડા કે ઘણું પ્રમાણમાં આવી ટેવ પડી ગઈ હોય છે, અને તેઓ નાના મનવાળા હોય છે, તેનું આ એક કારણ છે. અવલોકન કરવાની ટેવ, એ બહુ લાભકારક ટેવ છે, પણ શું અવલેકવું અને શું ન અવેલેકવું, તેને મનુષ્યનામાં વિક હોવો જોઈએ. તે વિવેક નથી હોતો ત્યારે મનુ જે કંઈ નજરે પડે તેના ઉપર પોતાની દષ્ટિ નાંખે છે, અને નિર્માલ્ય વસ્તુઓ તથા ક્રિયાઓના સંસ્કારને પિતાના અંતઃકરણમાં દઢાવે છે. જે વસ્તુ આપણું ઉપયોગની હોય તેનું જ આપણે અવલોકન કરવું જોઈએ. પોતાના મનને વિકાસ કરવાને ઈચછનાર મનુએ જે તે વસ્તુઉપર અને જે તે ક્રિયા ઉપર પિતાની વૃત્તિને સ્થાપવી નહિ જોઈએ. પિતાના મનને મહાન કરવાની ઈચ્છાવાળા મનુએ ખોટી જિજ્ઞાસાને સંતોષવાને ખાતર જ પિતાના સમયને અને વિચારને ક્ષય ન કરવો જોઈએ. જે નજરે ચડ્યું અથવા જે સંબંધમાં આવ્યું તેને જાણવાની ખોટી જિજ્ઞાસાવાળું મહત મન હેતું નથી. બીજા મનુષ્યોના દેહવ્યવહાર ઉપર મહત મન કદી ધ્યાન આપતું નથી. હાલ કદાચ કેવળ તુચ્છ જણાતી હોય તો પણ જે ઉચ્ચ થવાના ક્રમમાં હોય તેવી બાબતોની સાથે જ મહત મન સંબંધવાળું થાય છે. આ પ્રકારનો નિયમ હોવાથી તે વસ્તુઓ અને ક્રિયાઓ ઉપર ચોંટતાં આપણાં નેત્રોને તથા વૃત્તિને આપણે અંકુશમાં રાખવા જોઈએ. ૨૩૯. અને બાહ્ય વસ્તુઓ ઉપર ચેટતાં તમારાં નેત્રને તથા તમારી વૃત્તિને જેમ તમારે અંકુશમાં રાખવાનાં છે, તેમ તમારા અંતઃકરણમાં ઉઠતા વિવિધ પ્રસંગોનાં ચિત્રોઉપર તમારી માનસ દષ્ટિને તથા તમારી વૃત્તિને સ્થાપતાં તમારે સાવધાનતા સેવવાની છે. ગમે તેવા નિપયોગી અને તે પ્રસંગને વારંવાર સ્મર્યા કરવાથી તમારું મન તુચ્છ અને નિર્માલ્ય જ રહે છે. મનને મહત્ કરવાને માટે તેને અંતરમાં પણ મહદ્ વસ્તુઉપર જ સ્થાપવું જોઈએ. આથી જ સશાસ્ત્રોનું શ્રવણ, મનન તથા નિદિધ્યાસન, ઈશ્વરચિંતન, તવાભ્યાસ વગેરે સ&િયાઓ સુકે સંતત સેવવા યોગ્ય છે, એમ મહાપુરુષો આગ્રહપૂર્વક પ્રબોધે છે. ૨૪૦. પ્રેમ અને માયાથી ભરેલું હૃદય, વાણી અને ક્રિયા મનુષ્યના જીવનને સર્વદા અધિક ઉચ્ચ કરે છે. મહત મનની સાથે હું જયારે મોટું અર્થાત પ્રેમવાળું હોય છે ત્યારે મહત મન મહત્તર એટલે અધિક મોટું થાય છે, પણ જગતનાં પુષ્કળ મનુષ્ય માયાનો અને પ્રેમને અતિ પ્રસંગમાં ઉપયોગ
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy