________________
વિચારરત્નરાશિ ]
૧૨૧
આ જગમાં જીવાનો પુનઃ પુનઃ અવતાર હોય છે, અને સાચી યોગ્યતા ફળને પ્રાપ્ત કરવાથી પ્રાપ્ત થતી નથી, પરંતુ સાચો પ્રયત્ન કરવાથી જ થાય છે, એ સદ્િવેષ્ટીએ નિરંતર સ્મરણમાં રાખવું અગત્યનું છે. પ્રયત્ન જ ચાગ્યતા અપનાર હાવાથી મનુષ્યે પ્રયત્ન કરવાનું પ્રાપ્ત થતાં કટાળવું નહિ જોઈએ, પણ પ્રહ સેવવા જોઈએ, પ્રહપૂર્વક પ્રયત્નને સેવતાં મનુષ્તી યાગ્યતા પ્રતિક્ષણ વૃદ્ધિને પામે છે, અને યોગ્યતા વધતાં આપણી જે હલકી સ્થિતિ હોય છે, તે એની મેળે જ, જેમ સના શરીર ઉપરથી કાંચળી ઊતરી જાય છે, તેમ આપણાથી અળગી થાય છે.
૨૦૧. ‘હું મહેનત કરી કરીને મરી જાઉં છું, પણ મારી કાઈ કદર કરતું નથી,’ એવું વચન માલનાર મનુષ્ય સાચી મહેનત કરતા નથી, તેની નજર પોતાની ‘કુદર’ કરાવવા ઉપર હોય છે. મહેનત કરવાના સમયમાં ‘કદર’ ઉપર સેંકડા વાર તેનુ ં ચિત્ત જઈ જઈ ને ઠંક્યા કરે છે. કાણુ કહી શકશે કે આમ દ્વિધા ચિત્તથી કરેલા પ્રયત્ન તે સાચા પ્રયત્ન છે ? સાચા પ્રયત્નમાં ફળપ્રતિ દૃષ્ટિ હોતી જ નથી. પ્રયત્નમાં રહેલી રમણીયતાઅથે જ જે પ્રયત્ન સેવાય છે, તે સાચા પ્રયત્ન છે. કમ માં અર્થાત્ પ્રયત્નમાં જ મનુષ્યના અધિકાર છે, ફળમાં નથી, એ
શાસ્ત્રવચન અત્યંત સત્ય છે.
૨૦૨. જે કલ્યાણકારક સત્તા વિશ્વમાં વ્યાપી રહી છે, તે સત્તાએ તમારી યોગ્યતા જોઈ ને જ આ સ્થિતિમાં તમને મૂક્યા છે, જો તમારી આથી વધારે યોગ્યતા હોત તો તમારા કાઈ ચક્રવતી નૃપતિને ત્યાં કે કાઈ કાટીપતિ શ્રીમાને ત્યાં જન્મ કરત. ઉભયમાંથી એકે સ્થળે અથવા તમારા ઈચ્છેલે સ્થળે નથી કર્યાં, એ જ સિદ્ધ કરે છે કે તમે આ સ્થિતિને જ યોગ્ય છે, અને આ સ્થિતિનાં કબ્યા તનમનથી કરવાથી જ તમારી ઉન્નતિ છે, એમ તે સન સત્તાનો નિશ્ચય છે. આમ છે તેા હવે ખડખડવું છેાડી દે, અસંતોષના ઉદ્ગારા કાઢવા બંધ કરો, અને તમારી યોગ્યતાનું જ તમને મળ્યું છે, એમ જાણીને તે સ્થિતિનાં કબ્યા સાધવા કિટ કસે. વિશ્વવ્યવસ્થાપક સત્તાની જે ચ્છા છે, તેને જ તમારી પણ Ùચ્છા કરો, અને પ્રસન્નતાપૂર્વક તે ઈચ્છાને અનુસરો. આ અને આ રીતે જ તમે તમારી પ્રાપ્ત સ્થિતિને બદલી શકશે. એ વિના અન્ય કાઈ માર્ગ નથી.
૨૦૩, અને આ માગે અનુસરતાં વર્ષે, દશે વર્ષે કે વીસે વર્ષે પણ તમારી સ્થિતિ ન બદલાય, તમારું ધારેલું ઉત્તમ ફળ સમીપ આવેલું ન જણાય, અથવા
૧૬