________________ 271 લાફિંગ મૅન તુછ ભાંડ જ પુરવાર થયું હતું અને તે તરીકે તેને હસી કાઢવામાં આવ્યો હતો. તે પોતે દલિતેનું મુખ થઈ શકે તેમ નહોતો કારણ; કે, તેનું મુખ જ વિધૂપ કરી નાખવામાં આવ્યું હતું - અને તેથી તે માં આવી મહાન વસ્તુઓ ઉચ્ચારવાને નાલાયક પુરવાર થયું હતું ! રાજાએ તેનું મુખ વિદ્રપ કરાવીને, કાયમને માટે તેને કોઈ પણ મોટું કામ કરવાને માટે નાલાયક કરી મૂક્યો હતો ! રાજાશાહીએ તેના બાપ ઉપર અત્યાચાર કર્યા બાદ તેના પુત્ર ઉપર પણ કાયમી અત્યાચાર કર્યો હતો. આ ઉમરા શાની સામે ગુસ્સે થયા હતા ? અત્યાચાર કરનાર પ્રત્યે ? ના, ના, એ અત્યાચારના પરિણામે તેને જે વિપતા મળી હતી, તે વિદ્રપતા સાથે તે ઉમરાવ-સભાને સંબોધવા ગયો હતો તે સામે ! તેઓએ તેના મુખને કારણે તેના બધા વક્તવ્યને ખેલ જ ગણી કાઢયો હતો. નિયતિએ જે દલિતોના મુખ તરીકે કોઈને નક્કી કર્યો હોય, તે તે પિતે તે નહોતે જ ! તે કાયમને વિદૂષક બની શકે, ઉપદેશક કદી નહિ ! અને ઉદ્ધારક તે કોઈને નહિ ! તે પોતે ઉમરાવોના હૃદયમાં દયા ઊભી કરવા ગયો હતો, પણ તેણે ઊભે કર્યો પિતાની પ્રત્યે જ તુચ્છકાર. તેના શબ્દ તેના વિપ મુખમાંથી નીકળતાં નર્યા વિદ્વતાભર્યા બની ગયા હતા. ઉમરાવ-સભામાં બિશપ હતા; તેણે તેમને ઈશ્વરને નામે સંબોધ્યા : આ કેવી અનધિકાર ચેષ્ટા ? ઈશ્વરનું નામ દઈને બેલિનાર આ વળી કેણુ? ઈશ્વર એ તે બિશપની જ આગવી ઈજારાની ચીજ કહેવાય ! ઉમરાવવર્ગની આગળ તે સત્ય ધરવા ગયા; પણ તેઓ એવા જુદા જ જગતમાં રહેતા હતા, જ્યાં આ લેકેનું સત્ય તેમને માટે માત્ર તિરસ્કાર જ પેદા કરતું હતું - પ્રકાશ નહિ ! અને એ લેકેને વાંક પણ શે કાઢવો ? બહુ તો તેમની દયા લા. તેઓ જે તમારી વાતોથી ગળગળા થાય, તે તેમને પિતાને