________________ 274 લાફિંગ મન કારણ કે, તેને જે વૈભવ-સમૃદ્ધિનું સ્વપ્ન દેખાડવામાં આવ્યું હતું, તેને તેને પિતાને શું લાભ મળ્યો હતો ? તેને પિતાને બરાબર લોભાવવામાં આવ્યા હતા, અને તે પોતે એ વસ્તુથી લેભા પણ હતા. તે પિતે લેભાયો હતો એટલું જ નહિ, પણ તે વસ્તુનો તેને કેફ પણ ચડ્યો હતો. વિનપ્લેઈન પોતે “ના” કહી શક્યો હોત. પણ કોઈ પણ વખતે તેણે “ના” કહી હતી ખરી ? , આ સ્થિતિ પલટો કોઈ માણસે નહિ પણ ભગવાને કર્યો હતું. પરંતુ તેણે તે સ્વીકાર્યો શા માટે ? વીસ લાખની વાર્ષિક આવક, સાત કે આઠ મટી જાગીરો, દશ કે બાર મોટા મહેલે, શહેરોમાં જુદાં જુદાં ભવને, ગ્રામપ્રદેશમાં કેટલાય કિલા, સેંકડો હજૂરિયા, ટોળાબંધ શિકારી કૂતરા, ઘેડાગાડીઓને આખો કાફલે, શસ્ત્રો, ન્યાયાધીશ અને ધારાના ઘડવૈયા તરીકેના અધિકાર, રાજા જેવો પોશાક, એ બધાના બદલામાં તેણે શું ગુમાવ્યું હતું ?-- ઉસસની ઝૂંપડી અને ડિયાનું સ્મિત ! વૈભવના મોટા મહાસાગરના બદલામાં તેણે સુખનું મોતી હાથમાંથી સરકી જવા દીધું હતું. અરે મૂરખ ! પણ તે ઘડીએ તેને પ્રશ્ન ઊડ્યોઃ મેં આ બધા વૈભવને અસ્વીકાર કર્યો હોત, તો હું સ્વાથી ન ગણાત? કારણ કે આ વૈભવને સ્વીકાર કરવો એ મારું કર્તવ્ય હતું. નાના કુટુંબના વાડામાંથી મોટા કુટુંબના વાડામાં સ્વાભાવિક ક્રમે જવાનું આવે, ત્યારે તે મોટા કુટુંબ પ્રત્યેની પિતાની ફરજોને અસ્વીકાર શી રીતે કરી શકાય ? જેમ જેમ આપણે ઊંચે જઈએ, તેમ તેમ જવાબદારીઓને બેજ પણ માથા ઉપર વધે જ. તે વખતે શું આપણે એ બધું ફગાવી દઈ, પાછાં પગલાં ભરવાં ?