________________
ગુજરાત યુનિવર્સિટીના
ક્રાતદર્શી કુલપતિ
મગનભાઈ દેસાઈ લેખકઃ ચનલાલ સી. પરીખ
કિ. ૧૦-૦૦ સ્વાધીન ભારતના શિક્ષણના ઈતિહાસમાં
અનેખું અને યાદગાર સ્થાન “આજથી બરાબર ૫૦ વર્ષ પહેલાં ગુજરાતની પ્રાદેશિક યુમિવર્સિટી તરીકે સ્થપાયેલ ગુજરાત યુનિવર્સિટીનું સુકાન સંભાળનાર આઠ જેટલા કુલપતિએ ગયા ને નવ (ને એટલા જ કાર્યકારી કુલપતિઓ આવ્યા ને ગયા) આવ્યા. તે સૌએ પોતપોતાની શક્તિ – મતિ અનુસાર ગુજરાત યુનિવર્સિટીની અને તે દ્વારા ગુજરાતને સમાજની સેવા કરી છે. તેની કૃતજ્ઞતાપૂર્વક નધિ લેવી જોઈએ. પણ તે સૌમાં સદૂગત શ્રી. મગનભાઈ પ્રભુદાસ દેસાઈનાં પિતા અને પ્રતિભા અનેક રીતે ન્યારાં હતાં, અને સમયની રેતી પર તેમણે પાડેલાં પગલાંની મુદ્રાઓ (footprints on the sands of time) સ્વાધીન ભારતના શિક્ષણના ઈતિહાસમાંથી કદાપિ ભૂંસી શકાશે નહિ.
યુનિવર્સિટી જેવી સંસ્થાની કામગીરીના યશમાં સંસ્થાના તમામ સભ્યોની ઓછીવત્તી ભાગીદારી હોય છે; તો પણ સર્વગ્રાહી ચર્ચા-વિચારણાને અંતે સમાજના વ્યાપક હિતમાં લેવામાં આવેલા તેના સુચિતિત ને કદીક, તે દૂરગામી પરિણામવાળા નિર્ણવે પર પહોંચવા પહોંચાડવાનું તથા તે નિર્ણયને લગભગ ઈશ્વરદત્ત ધર્મકાર્યની ભાવનાથી પાર પાડવાનું કામ કોઈ અમુક અભ્યાસનિષ્ઠ, ચિંતનશીલ, કાનદર્શી ને દઢનિશ્ચયી વ્યક્તિને માથે આવે છે. રાજકીય સ્વતંત્રતા મળ્યા પછી આપણા દેશમાં શિક્ષણના સુધારાની બાબતમાં હવાતિયા મારતી આપણી યુનિવર્સિટીની બોધભાષા તો માતૃભાષા જ હોઈ શકે એ વિદ્યામંત્ર આપીને તેનું પ્રતિકર પ્રયોગદર્શન સૌપ્રથમ