________________
૨૮૨
ડૉન કિવકસોટ! આખું કુટુંબ ભારે શોકમાં અને મૂંઝવણમાં ગરકાવ થઈ ગયું. છેવટે આખરી ઘડી આવી, ત્યારે શાંતિથી પોતાની પથારીમાં જ તેમણે પ્રાણત્યાગ કર્યો.
શાસ્ત્રીજીએ તેમની કબર ઉપર નીચેનો લેખ કોતરાવ્યો
“અહીંયાં એક વીર નાઈટ ચિર નિદ્રામાં પોઢયા છે. અમર કીર્તિ પ્રાપ્ત કરવાની તેમની ઝંખના હતી, અને તે કીર્તિ હાંસલ કરીને તેમણે મરણ ઉપર વિજ્ય મેળવ્યો છે. એક ગાંડા ધૂની માણસની પેઠે જો તે જીવ્યા હતા, તો એક ડાહ્યા સમજણા માણસની જેમ તે મૃત્યુ પામ્યા
-=-
=-=