________________
કરુણ કેજ: ઘણી બાબતને શ્રી. નેઇરટિયરે પોતાની મિલકત ગરીબોને આપી દેવાનું વીલ કર્યું હતું, એટલે તેમને પ્રથમ પડતા મૂકવામાં આવ્યા હતા, પણ તેમણે પિતાનું વીલ પાછું ફેરવ્યું કે તરત તેમને ઝેર આપવામાં આવ્યું. નવું વીલ પરમ દિવસે જ તૈયાર થયું, ખરું ને ? એટલે જરાય વખત નકામો જવા નથી દીધો !'
‘દાક્તર ! તમે આ બધું શું કહો છો? મારી દીકરી ઉપર દયા રાખે !”
તમે પોતે જ ખૂનીનું નામ પિતાને મોંએ દીધું છે!”
અરે દાક્તર, શી વાત કરો છો? એ વસ્તુ અશકય છે. અત્યારે તમે ઘમંડ કરીને મારી દીકરીને મારે હાથે ફાંસીને માંચડે ચડાવવા માગો છો; પરંતુ મોડેથી તમારી માન્યતા ખોટી પુરવાર થશે – જેની મને ખાતરી છે – ત્યારે હું આવીને તમારું ગળું પકડીશ, અને કહીશ, ખૂની! મારી દીકરીને જીવ પાછો લાવ!'
ઠીક; સાહેબ ! હું અત્યારે કશું કહેતે નથી; તથા કશું કરવા પણ માગતું નથી. પણ આજથી હવે હું તમારા ઘરમાં બોલાવશો તો પણ પગ નહીં મૂકે; કારણ, તમારા ઘરમાં એક પછી એક ગુના વધતા જવાના છે; પરંતુ તે બધું ગુપ્ત રાખીને મારા દિલ ઉપર પશ્ચાત્તાપ અને શોકનો ભાર વધતો જાય એમ હું ઇચ્છતા નથી ! સાહેબજી, સલામ!'