________________ અંધકારરૂપે પરિણમે છે. અર્થાત્ એક જ પુદ્ગલ બન્ને કાર્યનું કારણ બને છે. अंधतामिस - अन्धतामिस्र (न.) (નિબિડ અંધકાર 2. સાંખ્યશાસ્ત્રપ્રસિદ્ધ ભયવિશેષ વિષયક અભિનિવેશ 3. અજ્ઞાન) અંધકારની પરંપરાને અંધતામિક્સ કહે છે. વાચસ્પત્યકોશમાં આવતા વર્ણન પ્રમાણે દેહના નાશ સાથે આત્માનો પણ નાશ છે તેવી માન્યતાને અર્થાત્ આ પ્રકારના અજ્ઞાનપણાના અર્થમાં પણ અંધતામિગ્ન શબ્દ વપરાયો છે. સંઘપુર - સભ્યપુર (ન.) (અન્ધપુર, નગર વિશેષ કે જયાંનો રાજા દેખતો હતો પણ અંધભક્ત હતો) अंधपुरिस - अन्धपुरुष (पुं.) (જાયંધ, જન્મથી આંધળું) દર્શનાવરણીય કર્મના ગાઢ ઉદયથી વ્યક્તિને જન્માંધતા પ્રાપ્ત થાય છે. આગમોમાં મૃગાપુત્ર લોઢીયાનું દૃષ્ટાંત આવે છે. તેના ઉત્કૃષ્ટ પાપ કર્મોની પ્રગાઢતાના કારણે તેને એક પણ ઇન્દ્રિય વ્યક્તરૂપે મળી ન હતી. નરકના દુઃખો કેવા હોય તેની ઝાંખી કરાવવા એ પર્યાપ્ત ઉદાહરણ છે. ઉત્કૃષ્ટપણે કરેલી વિરાધનાનું વરવું રૂપ કેવું હોય તે જાણવા-સમજવા મૃગાપુત્રનો વૃત્તાંત વાંચવા જેવો છે. મંથન - સભ્ય () (લોચન રહિત, બન્ને ચક્ષુઓથી વિહીન) સંથાવ - ગીરૂપ (ત્રિ.) (અવયવશૂન્ય આકૃતિ, લોલસા રૂપ) વિપાકસૂત્રમાં દુઃખવિપાકના મૃગાપુત્ર અધિકારમાં મૃગાદેવી પોતાના નવજાત શિશુ મૃગાપુત્રને અવયવરહિત માત્ર લોચા રૂપ અર્થાત માંસના પિંડ જેવો જન્મેલો જોઈને દુઃખ પામે છે. તેના શરીરરૂપી પિંડમાંથી જે દુર્ગધ નીકળતી હતી તે કોઈનાથી પણ સહન ન થઈ શકે તેવી અત્યંત અસહ્ય હતી. સંધિયા - ચિવ (સ્ટી.) (ચતુરિન્દ્રિય જીવવિશેષ) સંધિ () - અન્ય (કું.) (જાયંધ, લોચનરહિત) દર્શનીય પૂજનીય પરમાત્માના દર્શન કરવાના અવસરે મન ખિન્નતા પામે અથવા દર્શનીય પદાર્થો પ્રત્યે મનમાં ઘૂણા પામે તેને જાલંધપણું પ્રાપ્ત થાય, બાકી દેવોના ય દેવ શ્રી તીર્થંકર પ્રભુનું દર્શન પાપનો નાશ કરનારું અને ઉન્નતિકારક વસ્તુઓના કે સ્વર્ગમોક્ષના પગથિયા સમાન છે. થી - સભ્ય (સ્ટી.) (આશ્વદેશીય સ્ત્રી, આ%ી સ્ત્રી) આશ્વદેશીય સ્ત્રીની વિશેષતા બતાવતા આવશ્યક સૂત્રના ચોથા અધ્યયનમાં કહ્યું છે કે, તે યાવતું રાજ્યભારનો આશ્રય લઈને કામદેવની માફક સુખે શયન કરી શકે તેવી (અદ્ભુત) લીલાવાળી હોય છે. વ - મણ (પુ.) (પંદર પરમાધામિક દેવો પૈકીનો પ્રથમ દેવ, અંબ પરમાધામી દેવ) અસુરનિકાયના પંદર પ્રકારના પરમાધામિક દેવો પૈકીના પ્રથમ પ્રકારના દેવો અંબ તરીકે ઓળખાય છે. તેઓ માત્ર પોતાની કુતુહલવૃત્તિથી પ્રેરાઈને નારકીના જીવોને ઉપાડીને આકાશમાં ફેકે છે. તેને ઊંધા લટકાવે છે. જમીન પર પછાડે છે. કાંટાવાળા શસ્ત્રથી પીડે છે. આમ વિવિધ પ્રકારની કદર્થના પમાડવામાં તેઓને આનંદ આવે છે. અહો ! કર્મવૈચિત્ર્યમ્. ૪મશ્ન (.). (છાશ, તક્ર 2. ખાટો રસ, અશ્લરસ 3. ખાટો પદાથ) 54