SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ‘હંમતિ મત્રો નો નાથ્યા ' અર્થાતુ “હું” અને “મારું” આ મંત્ર મોહરાજાએ પૂરા જગતને ટાવેલો છે. તેના કારણે આખો સંસાર આંધળો બનેલો છે. જ્યાં જુઓ ત્યાં હુંનું અભિમાન અને મમત્વની મોકાણ છે. આ અંધાપો દૂર કરવા પરમાત્મા દ્વારા ભવ્યજનો માટે પ્રતિ મંત્ર આપવામાં આવ્યો છે પોહંસ્થિ' અર્થાત મારા સ્વરૂપે હું એકલો છું અને મારા આત્મા સિવાય મારું કોઈ નથી. થવા થા)- ચાર (6, 1.) (અંધકાર, અંધારું, પુગલ પરિણામ) અંધકારમાં જેમ દેખાતું નથી તેમ અજ્ઞાનને પણ અંધકારની ઉપમા અપાઈ છે તે સાર્થક છે. તેથી જ ગુરુસ્તુતિમાં અજ્ઞાનતિમિરાંધાનાં... કહેવાયું છે. અર્થાતુ, ગુરુભગવંત અજ્ઞાની એવા ભવ્યજનને જ્ઞાનરૂપી શલાકા-સળી વડે જ્ઞાનરૂપી નેત્રોને ઉઘાડી આપે છે. ગુરુ શિષ્યને બ્રહ્મજ્ઞાન કરાવી આપે છે માટે આ સંસારમાં ગુરુતત્ત્વ સર્વોચ્ચ સ્થાને વિરાજમાન છે. ગંધા (થા) વપશ્ય - મચારપક્ષ (.) (કૃષ્ણપક્ષ, અંધારો પખ, વદપક્ષ) જેમ શુક્લપક્ષમાં ચંદ્રની કળા વધે છે અને વદપક્ષમાં ઘટતી જાય છે તેમ જીવનમાં કર્મ સંજોગે સુખ-દુઃખની ઘટમાળ ચાલતી રહેછે. તેથી સુખમાં લીન અને દુઃખમાં દીન બનવું ન જોઈએ. પરંતુ સમભાવે રહેતાં શીખવું જોઈએ. મંથન - સંદિપ (કું.) (વૃક્ષ, ઝાડ) પોતે ટાઢ-તડકો વેઠીને પણ બીજાઓને શીતળ છાયા આપવામાં વૃક્ષોની પરોપકારીતા આપણને સુવિદિત છે. વૃક્ષનું એક નામ અંધગ પણ છે. અર્થાત પગથી પીનાર. વૃક્ષો પ્રાયઃ કરીને મૂળિયાથી પાણી ગ્રહણ કરે છે. માટે આ નામ સાર્થક છે. અનેક પ્રકારના વૃક્ષોમાં અશોક વૃક્ષ સર્વોત્તમ ગણાય છે. તેથી જ પરમાત્માની દેશના અવસરે દેવો દ્વારા રચાતા સમવસરણની મધ્યમાં અશોક વૃક્ષની નીચે પરમાત્માનું સિંહાસન રહે છે. अंधगवण्हि - अंहिपवह्नि (पु.) (લાકડાનો અગ્નિ, વૃક્ષાગ્નિ, બાદર તેજસ્કાય) મચહ્નિ (પુ.) (સૂક્ષ્મ તેજસ્કાય, સૂક્ષ્મ અગ્નિ 2. યદુવંશીય એક રાજા) યાદ રાખજો! આપણે જે વીજળીથી ચાલતા તમામ પ્રકારના સાધનોનો ઉપયોગ કરીએ છીએ તેમાં અસંખ્યાતા બાદર અગ્નિકાયના જીવોનો કચ્ચરઘાણ નીકળે છે. તેથી જ મુનિવરો વીજળીના ઉપકરણોનો ઉપયોગ નથી કરતા. અંધતમ - ન્યતન (જ.) (ઘોર અંધારું 2. તે નામનું એક નારક) અત્યંત અંધકારમય વાતાવરણમાં જ રહેવાનું બને તો જરાય ગમે નહીં. ગુંગળામણ થાય અને એવા સ્થાનેથી ભાગવાનું મન થાય. તો વિચાર કરો કેનારકમાં ઉત્પન્ન થયા પછી નારકીના જીવોને હજારો વર્ષ પર્યત અર્થાતુ, પૂરી જીંદગી ઘોર અંધકારવાળા નારકસ્થાનમાં જ ગુજારવી પડે છે. તે પણ કમને અને હાયવોય કરતા કરતા. આ સત્ય હકીકતને જાણ્યા પછી તેવા કર્મો ઉપાર્જિત કરવામાં કોને રસ પડે? વિવેકી જનને તો નહીં જ. अंधतमस - अन्धतमस् (न.) (ગાઢ અંધકાર, ઘોર અંધારું, નિબિડ અંધારું) સારું કે નરસું આ બધું સાપેક્ષ હોય છે. હકીકતમાં વસ્તુમાત્ર પોતાના સ્વરૂપે જ હોય છે. અંધકાર સાધારણ રીતે કોઈને નથી ગમતો. રોજીંદા જીવન વ્યવહારોમાં બાધક બને છે. એજ અંધકાર ઊંઘ આવવામાં સહાયક પણ છે. સાધનાની અમુક ભૂમિકાઓમાં ગાઢ અંધકારને અત્યન્ત ઉપકારક માન્યો છે. આપણી અંજનશલાકાની મુખ્ય વિધિ પણ મધ્ય રાત્રિના સમયે જ કરવાની હોય છે. - આગમોમાં અંધકારનું સ્વરૂપ બતાવતા કહ્યું છે કે જે પુદ્ગલો દિવસે પ્રકાશ રૂપે પરિણમે છે તે જ પુદગલો સૂર્ય કે પ્રદીપના અભાવમાં 3
SR No.006003
Book TitleShabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorVaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy