________________ સંતોતિ - મનહ્ન (ત્રિ.) (અંદરથી લીંપેલું, મધ્યમાં ખરડાયેલું) પૂજા, પ્રતિક્રમણ, સામાયિક, વ્રત, પચ્ચખ્ખાણ વિગેરે બાહ્ય રીતે સુંદર દેખાતી ધર્મ આરાધનાઓ જ્યારે ફળીભૂત થતી નથી દેખાતી, ત્યારે જ્ઞાની ભગવંતો કહે છે કે, તેવા જીવોનું ચિત્ત અંદરથી રાગ-દ્વેષ કે કષાયો આદિથી ભયંકર રીતે ખરડાયેલું સમજવું. કારણ કે જેમ અંદરથી ખારાશવાળી ભૂમિમાં ગમે તેવું મોઘું બીયારણ વાવીએ તો પણ તે ઊગી શકતું જ નથી. તેમાં કારણ તે ભૂમિની અયોગ્યતા જ છે. માટે બાહ્ય આરાધનાઓને ફળવતી બનાવવી હોય તો અન્તર્મન એટલું જ વિશદ્ધ જોઈશે. સંતોવટ્ટ - મન્તવૃત્ત (ત્રિ.) (અંદરના ભાગમાં ગોળ, અન્તર્ગોળ) સૂત્રકતાંગસુત્ર નામના આગમ ગ્રંથમાં નારકોનું વર્ણન આવે છે કે, તેઓ બાહ્ય આકારે બહિ ચરિંસા અર્થાત ચોખણિયા અને અંદરથી અંતોટ્ટા અથતુ ગોળાકારવાળા હોય છે. તેવા આકારની કલ્પના કરતા અટપટા-વિચિત્ર આકારના ભાસે છે. સંતોવત્તિ - મત્તવ્યff (ત્રી.) (સ્વપક્ષના વિષયમાં સાધનની સાધ્યથી વ્યાપ્તિ, અન્તવ્યક્તિ) સંતવાણી - અન્તર્વાહિની (સ્ટી.) (નાની નદી, ક્ષુદ્ર નદી) જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ તેમજ સ્થાનાંગસૂત્રમાં આવતા વર્ણન પ્રમાણે મંદરપર્વતની પશ્ચિમ દિશામાં વહેતી સીતોદા નામની મહાનદીની દક્ષિણ દિશામાં વહેતી નાની નદી. તેમજ મહાવિદેહક્ષેત્રના કુમુદવિજયની પશ્ચિમ સરહદે વહેતી બાર લઘુ નદીઓ પૈકીની એક નદીને અન્તર્વાહિની કહેવાય છે. સંતોવીસંગ - અન્તવિશ્રમ (પુ.). (હાર્દિક વિશ્વાસ, મનનો વિશ્વાસ) ધર્મારાધનાની બાબતમાં પૂર્ણશ્રદ્ધા-વિશ્વાસ હોવો અતિઆવશ્યક છે. સાધના કરતા કરતા શંકા જાય કે, આનું ફળ મને મળશે કે નહીં અથવા ગતાનુગતિક પૂજા-પાઠ કે પ્રતિક્રમણ કરવાથી શું ફાયદો? આખરે તો આવા બધા ક્રિયા-કલાપોથી કાંઈ પ્રાપ્ત થતું દેખાતું તો છે નહીં. આ પ્રકારની વિચારધારા કે માન્યતા અમૃત સદેશ ધર્મારાધનાઓ પ્રત્યે અંદરના અવિશ્વાસની સૂચક છે. જો હાર્દિક દૃઢ વિશ્વાસ હોય તો કલ્પનાતીત સુંદર ફળ પ્રાપ્તિ થયા વગર નથી રહેતી એ શાસ્ત્રવચન જાણી લેવું જોઈએ. મંતોસ% - મન્ત:શન્ય (ત્રિ.) અત્યંતર શલ્ય, બહારથી ન દેખાતું શલ્ય, જેના મનમાં અપરાધરૂપ શલ્ય છે તે 2. માયા-કપટ 3. અનાલોચિત અતિચાર). બહારથી દેખાતો ઘાવ સુસાધ્ય છે. જ્યારે અંદરનું શલ્ય દુ:સાધ્ય કે અસાધ્ય બની જાય છે. વ્યક્તિને શરીરની અંદરમાં રહેલા શલ્યની અદશ્ય હોવાથી ખબર ન પણ પડે એવું બની શકે છે. સમવાયાંગસૂત્રમાં જણાવ્યું છે કે, અન્તર્મનમાં રહેલો અપરાધભાવ એ અન્તઃશલ્ય છે. અભિમાનાદિના કારણે તેવા શલ્યનું પ્રાયશ્ચિત્ત ન લેવાથી લક્ષ્મણા સાધ્વીજીની જેમ ભયંકર પરિણામ આપનારું બને છે. માટે જ યતિની આગમિક વ્યાખ્યામાં નિ:શો દ્રતી' કહેવાયું છે. મંતો સમયT - અન્તઃશન્સમૃતw (ત્રિ.) (અંદરમાં ભલ્લાદિ રોગવાળાનું મરણ, ભાવશલ્યના નિવારણ કર્યા વગરનું મરણ) માસક્ષમણના પારણે માસક્ષમણ દ્વારા બાહ્ય રીતે મહાન તપારાધના કરનારા અજ્ઞાનતપસ્વી અગ્નિશર્માના જીવે નિમિત્ત પામી ગુણસેનને ભવોભવ મારવાનું મને સામર્થ્ય મળો એવું ભયંકર નિયાણું કરી લીધું. કાળજાને કંપાવનારા તેના કેવા કેવા પરિણામો તેને મળ્યા, તેનો આબેહૂબ ચિતાર જાણવો હોય તો સમરાદિત્ય કથા અવશ્ય વાંચવાલાયક છે. સંતોત્રમ - અન્તઃશચર (જ.) (દ્રવ્યથી શરીરમાં ભાલાદિ શસ્ત્ર સહિત અને ભાવથી સાતિચાર મરણ, બાલમરણ) ઉત્તરાધ્યયનસૂત્રની નિયુક્તિમાં જણાવ્યું છે કે, જેઓ લજ્જાથી, ગારવથી કે અભિમાનથી પોતે આચરેલા દુષ્કૃત્યની ગુરુ જોડે