SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ અંત# (T) - અન્ત (ઉં.) (યમરાજ, મૃત્યુ, નાશ કરનાર 2. છેડો, પર્યત 3. અંતર્ગત) આ દુનિયામાં રોજ હજારો લોકો જન્મે છે અને મૃત્યુ પામે છે, પરંતુ જેઓનું જીવન સદાચારોથી સદા મહેકતું હોય છે, ચિત્ત સદ્ધિચારોથી ભરેલું હોય છે અને સદ્ધાણી હંમેશાં જીભ પર રમતી હોય છે તેવા મહાપુરુષોનું તો મૃત્યુ પણ મહોત્સવ બની રહે છે. મંતવમ - અન્તવર્નન () (વસ્ત્રની કિનારી 2. નાશ કરવો, પરિચ્છેદ કરવો તે). સંસાર એકયુદ્ધભૂમિ છે જેમાં રાગ-દ્વેષરૂપી પ્રધાન શત્રુઓ છે. જેઓ કર્મોનો ક્ષય નથી કરતા તેઓના જ્ઞાનાદિગુણોનો આ શત્રુઓ નાશ કરીને ચારગતિરૂપ બંધનમાં તેમને બાંધી દે છે. માટે જ પ્રભુએ કર્મોના વિપાક-અંતને જોવાનું અને તેના પર ચિંતન કરવાનું ભારપૂર્વક જણાવ્યું છે. મંત () - મન્તર (કું.) (સંસારનો અંત કરનાર, તે જ ભવે મુક્તિ પામનાર) જગતમાં બે પ્રકારની વૃત્તિવાળા લોકો હોય છે 1. શ્વાનવૃત્તિ અને 2. સિંહવૃત્તિ. થાનવૃત્તિવાળાઓ હંમેશાં નિમિત્તકારણો પાછળ દોડતા હોય છે જેના કારણે તેમને સંસારમાં પરિભ્રમણ કરવું પડતું હોય છે. જ્યારે સિંહવૃત્તિવાળા ધીરપુરુષો સંસારના નિમિત્તકારણોને છોડીને મુખ્ય કારણભૂત કર્મોને જાણીને તેનો અંત કરવાની પ્રવૃત્તિવાળા હોય છે. અંતર (ડ) ભૂમિ - માર (સૂ) ભૂજ (સ્ત્રી). (સંસારનો અંત કરનાર મોક્ષગામી મહાપુરુષોની ભૂમિ-નિર્વાણ સમય) ભવનો અંત જેઓ કરે છે તેઓ અંતકરા-નિવણિગામી કહેવાય છે. તેઓની ભૂમિ એટલે કાળ, કાળ આધારભૂત કારણ હોવાથી ભૂમિ શબ્દરૂપે વ્યપદેશ કરાયેલો છે. શાસ્ત્રોમાં અન્નકંદૂભૂમિ બે પ્રકારની બતાવી છે. યુગાન્તકરભૂમિ અને પર્યાયાન્તકર ભૂમિ. અંતાન - અનંત (પુ.) (મરણકાળ, અન્તકાળ). અન્તકાળે જીવને જાવું એકલું, સાથે પુય ને પાપ રે...” જ્ઞાની પુરુષોના આવા વૈરાગ્યબોધક સત્યવચનોને સમજીશું ત્યારે આપણને જગતની વાસ્તવિકતા દેખાશે અને ત્યારે જ આપણો પ્રયત્ન ભવનિસ્તારક યાને આત્મસિદ્ધિ તરફનો થશે. અંતરિયા - અન્તથિ (સ્ત્રી) (સંસાર યા કર્મનો અંત કરનારી ક્રિયા કે અનુષ્ઠાન 2. સકલકર્મોના ક્ષયરૂપ મોક્ષ). તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં ઉમાસ્વાતિજી મહારાજે મોક્ષની વ્યાખ્યા કરતા કહ્યું છે કે, “શૂન્નક્ષયો મોક્ષ:' અર્થાત, સંપૂર્ણ કર્મોનો ક્ષય એજ મોક્ષ છે. આત્મામાં લાગેલા સમસ્ત કર્મોનો ક્ષય કરનારી જે ક્રિયા-અનુષ્ઠાન છે તેને અંતક્રિયા કહે છે. સામગ્રી ભેદથી ચાર પ્રકારની અંતક્રિયા શાસ્ત્રોમાં વર્ણવાઈ છે. *અન્ય (7) ક્રિયા (સ્ત્રી.) (અન્ત-પર્યવસાને કરાતી કર્મક્ષયની ક્રિયા, સર્વકર્મક્ષયરૂપ મોક્ષ) મંતવહુન - મત્યgન (.) ભારતમાં વર્ણ વ્યવસ્થાની દૃષ્ટિએ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એમ ચાર વર્ણની વ્યવસ્થા કરવામાં આવેલી છે. પરંતુ ખરેખર તો વ્યક્તિના કર્મો-કાર્યો જ તેના કુળના દ્યોતક છે. કારણ કે ઉચ્ચકુળમાં જન્મ પામેલો હોવા છતાં જે ત્યાજ્ય કાર્યો કરે છે તેનું માત્ર ઉચ્ચ કુળમાં જન્મવાથી શું? મંતવશ્વરિયા - સત્યાવિશ (ત્રી.) (અઢાર લિપિઓ પૈકીનો નવમો ભેદ, બ્રાહ્મીલિપિનો એક ભેદ 2. અંત્યાક્ષરી નામની ૬૩મી કલા) મંત - અન્તર્ણ (ત્રિ.)
SR No.006003
Book TitleShabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorVaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy