SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ દશાશ્રુતસ્કંધાદિ આગમોમાં જણાવેલું છે કે, જે સાધુ સાધ્વી પ્રમાર્જના કર્યા વગરના સ્થાન કે આસન પર બેસે છે, સૂએ છે, મળમૂત્રાદિકને ત્યાગે છે કે ચાલે છે, તે સાધુ સાધ્વી અપ્રમાર્જિતચારી કહેવાય છે અને તે સંયમ જીવનમાં વારંવાર અસમાધિ પામે છે. अप (प्प) मज्जियदुप्पमज्जियउच्चारपासवणभूमि - अप्रमार्जितदुष्प्रमार्जितोच्चारप्रस्रवणभूमि (स्त्री.) (પૌષધવ્રતમાં ઉચ્ચાર-પાસવણની ભૂમિની બરાબર પ્રમાર્જના ન કરવાથી કે મુદ્દલ ન પુંજવાથી લાગતો અતિચાર) अप (प्प) मज्जियदुप्पमज्जियसिज्जासंथार - अप्रमार्जितदुष्प्रमार्जितशय्यासंस्तार (पुं.) (પૌષધોપવાસનો એક અતિચાર, અપ્રમાર્જિત દુષ્પમાર્જિત શયા સંસ્તારક દોષ) પૌષધવ્રતમાં શ્રાવક પોતાને સવાના સંથારાને કે આસનને જો પ્રમાર્શે નહીં અથવા વિધિપૂર્વક બરાબર પડિલેહણ ઉપરોક્ત અતિચાર લાગે છે. એટલે કે નિરતિચાર પૌષધવ્રતમાં પ્રત્યેક ક્રિયામાં જયણા રાખવી અતિ આવશ્યક કહેવાઈ છે. અપ () મ7 - અપ્રમત્ત (ત્રિ.). (અપ્રમત્ત, અપ્રમાદી, મદાદિ પ્રમાદથી રહિત) મદ, વિષય, કષાય, નિદ્રા, વિકથા આદિ પ્રમાદોથી રહિત હોય તે અપ્રમાદી યાને ઉપયોગવંત છે. એવા અપ્રમાદી મુનિઓ પ્રાયઃ કરીને જિનકલ્પિક, યથાલેદકલ્પિક, પરિહારવિશુદ્ધિક કે પ્રતિમાધારી સાધુઓ જ સંભવી શકે છે. 35 (ખ) મત્તસંનય - (પુ.) (સાતમાં ગુણસ્થાનકે વર્તતો જીવ, સર્વપ્રમાદ રહિત સપ્તમગુણસ્થાનકવર્તી સાધુ) ભગવતીસૂત્રના ત્રીજા શતકના ત્રીજા ઉદ્દેશામાં કહ્યું છે કે, અપ્રમત્ત ગુણસ્થાનકવર્તી જીવ બે પ્રકારના હોય છે. એક કષાય અપ્રમત્ત અને બીજો જોગઅપ્રમત્ત. તેમાં કષાય અપ્રમત્ત પણ બે પ્રકારે છે. એક ક્ષીણકષાય અપ્રમત્ત અને બીજો કષાયનિગ્રહતત્પર અપ્રમત્ત. જયારે યોગ અપ્રમત્ત એટલે મન વચન અને કાયાથી ગુપ્તપણે રહેનાર. મા () મત્તાંનયમુઠ્ઠા - અપ્રમત્ત સંતકુસ્થાન (.) (અપ્રમત્તસંયત ગુણસ્થાન નામનું સાતમું ગુણસ્થાન, સાતમા ગુણસ્થાનકનું નામ) અપ () મા - મvમા (ર.) (પ્રમાણથી અધિક 2. અપ્રમાણ-અસત્ય, પ્રામાણ્ય વિરુદ્ધ) શાસ્ત્રમાં પુરુષના આહારનું પ્રમાણ બતાવેલું છે. પરંતુ સ્વાદુ લોભથી કોઈ વ્યક્તિ પ્રમાણથી અધિક આહાર લે છે ત્યારે તે પ્રમાણથી અધિક ભોજી થઈ અપ્રમાણ નામક બીજા સ્થાનના દોષનો ભાગી થાય છે એમ ઉત્તરાધ્યયનસૂત્રના ૨૪મા અધ્યયનમાં કહેલું છે. મv (M) મા મોડુ() - પ્રમUTમોનિન (ત્રિ.) (બત્રીસ કોળીયાથી અધિક આહાર કરનાર, અપ્રમાણભોજી) અપ (D) મા - મામા (.) (પ્રમાદરહિત, પ્રમાદ વર્જન લક્ષણ બત્રીસ યોગસંગ્રહ પૈકીનો ૨૬મો યોગસંગ્રહ) સ્થાનાંગસૂત્રમાં સાધુએ આઠ સ્થાનોમાં પ્રમાદ ન કરવો જોઈએ એમ કહેલું છે. દા.ત. જેમ કોઈ શ્રુતજ્ઞાન નથી ભણેલું કે નથી સાંભળેલું તો તેના માટે પ્રયત્નપૂર્વક આદર કરવો જોઈએ. સર્વથા અપ્રમત્તપણે તે આઠેય સ્થાનોનું સેવન કરવું જોઈએ એમ ભારપૂર્વક કહેલું છે. મv () માપડિગ્નેહા - મvમા પ્રત્યુપેક્ષIT (સ્ત્રી.) (પ્રમાદ વર્જીને પડિલેહણા કરવી તે, અપ્રમાદીપણે અણચ્ચાવિય આદિ છ પ્રકારની પડિલેહણા કરવી તે) મg () માયાવUTI - સપ્રમાભાવના (સ્ત્રી) (મદિરા આદિ પ્રમાદોનું સેવન ન કરવું તે, અપ્રમાદભાવના) આચારાંગસૂત્રમાં સાધ્વાચાર માટે જણાવ્યું છે કે, સાધુએ એવી વસતિમાં ન ઊતરવું કે જ્યાં મદિરાપાન કરનારાઓ રહેતા હોય. કારણ કે તેવા પ્રકારની વસતિમાં સાધુ પોતાના આચારોથી ભ્રષ્ટ થઈને છકાયના જીવોની હિંસા કરતાં મહાવ્રતોથી શ્રુત થાય છે. 441
SR No.006003
Book TitleShabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorVaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy