SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણે જ કરીને અજ્ઞાનમાં વધારો કરવાની આદત પડી ગઈ છે. પ્રતિક્રમણમાં પણ આના જીવંત ઉદાહરણો ઘણી વખત જોવા મળતા હોય છે. આગળવાળો જેવી ક્રિયા કરે તે પ્રમાણે જ પાછળવાળો કરશે. આગળવાળો સાચું કરે છે કે ખોટું તે જાણવાની તેને જરાપણ દરકાર હોતી નથી. માવજ - મનવતા (ત્રિ.). (અનંત, છેડા વગરનું) . એક નાનકડું પણ અસત્ય જેનો દૂર દૂર સુધી છેડો પણ ન દેખાય તેવા અનંતા ભવો વધારી મૂકે છે. શાસ્ત્રોમાં લક્ષ્મણા સાધ્વીનું દૃષ્ટાંત આવે છે કે, એક ચકલા-ચકલીનું મૈથુન જોઇને તેમને મનમાં વિકાર થયો પરંતુ, જ્યારે કેવલજ્ઞાની પરમાત્મા આગળ પ્રાયશ્ચિત લીધું ત્યારે તેમણે છુપાવ્યું કે મને મનમાં વિકાર થયો હતો. તેમણે એવું કહ્યું કે, કોઈને આવું જોઇને વિકાર થાય તો શું પ્રાયશ્ચિત્ત આવે? કેવળી ભગવંત જાણતા હોવા છતાં કાંઈ ન બોલ્યા. પરંતુ એક નાનકડા જૂઠના કારણે લક્ષ્મણા સાધ્વીના અનંતા ભવો વધી ગયો. મનવા (ત્રિ.) (અનંત, પ્રમાણરહિત, અપરિમિત) અનંતા ભૂત-ભવિષ્ય અને વર્તમાનકાળને જાણનારા કેવળી ભગવંતની દૃષ્ટિએ પણ જેનો દૂર દૂર સુધી અંત ન જણાય તેને અનંત કહેવાય છે. અત્યાર સુધી આપણો મોક્ષ નથી થયો એ જ જણાવે છે કે, આપણી નિષ્ક્રિયતા અને ભાવશૂન્યતાના કારણે અનંતકાળથી આ સંસારચક્રમાં ભમી રહ્યા છીએ. મUાવઉત્ત - મનસ્ય (વ્ય.) (ન જોઈને, જોયા વિના) આ સંસાર છે જયાં સંયોગ ને વિયોગ કાયમ જોડાયેલા છે. આજે પ્રેમનો સાગર ઘૂઘવતો હોય કાલે ત્યાં નફરત અને તિરસ્કારની ખારાશ ભળેલી જોવા મળે છે. આજે સુખના વાયરા છે તો કાલે દુઃખના વંટોળ દેખાય છે. જેને એક દિવસ પણ જોયા વિના નહોતું ચાલતું, ભૂખ પણ નહોતી લાગતી ત્યાં જ તેના મરણ પછી બારમાના લાડવા ખવાય છે. મUવથા (રેશ) (અનંત) શાસ્ત્રોમાં કહેવું છે કે, ‘રૂછી ઘુમાસણમાં પતિયા' અર્થાત્ ઇચ્છાઓ આકાશ સમાન અનંત છે. તેનો અંત કે છેડો ક્યારે પણ નથી આવતો. ઇચ્છાઓની જેમ જેમ પૂર્તિ કરો તેમ તેમ તેનો વિસ્તાર વધારે ને વધારે મોટો થતો જાય છે. માટે ઇચ્છાઓરૂપી ડાકણથી બચવા માટે મહોપકારી જ્ઞાની ભગવંતોએ સંતોષ ગુણનો આશ્રય કરવા કહેલું છે. अणवयमाण - अनपवदत् (त्रि.) (સત્યભાષા કહેતો 2. મૃષાવાદ નહીં કરતો). ઘણા લોકોને એવી આદત હોય છે કે, અન્ય રીતે બનેલા પ્રસંગ કે ઘટનામાં વધારે પડતો મરી-મસાલો ઉમેરીને જુદી રીતે જ લોકોને કહેવું. આને પાપસ્થાનકોમાં મૃષાવાદ તરીકે જણાવેલો છે. પરંતુ જે સરળ હૃદયી અને હળુકર્મી આત્મા હોય છે તે ક્યારેય પણ અસત્યનું ઉચ્ચારણ કરતા નથી. ગમે તેવી પરિસ્થિતિમાં સત્ય જ બોલે છે. મUવિર - મનવરત (ત્રિ.) (નિરંતર, વિરામરહિત, સતત). વ્યક્તિ સુખસાહ્યબી ભોગવવાની ઇચ્છાથી ધન મેળવવા માટે દિવસ-રાત જોયા વિના સતત મહેનત કર્યા જ કરે છે. જ્ઞાની ભગવંત કહે છે કે, સાંસારિક સુખ મેળવવાની ઇચ્છાથી કરવામાં આવેલો પ્રયત્ન માત્રને માત્ર સંસાર વધારે છે. એટલો જ પ્રયત્ન સતત આત્મકલ્યાણ કરવાની ભાવનાથી કરાય તો એટલા સંસારનો હ્રાસ થાય છે. અપાવવાઘ - મનપવાલિત્વ () (અન્યની નિંદા ન કરવી તે, સત્ય બોલવું તે). 250
SR No.006003
Book TitleShabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorVaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy