SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ આવેલા છે. अणप्पग्गंथ - अनर्प्यग्रन्थ (त्रि.) (આધ્યાત્મિક ગ્રંથની માફક જેને તેને આપવા યોગ્ય નહીં તે જ્ઞાન, બીજાને અર્પણ નહીં કરવા યોગ્ય જ્ઞાનાદિ) આચારાંગસૂત્રમાં કહેવું છે કે, જે આશ્રવના સ્થાનો છે તે જ કર્મનિર્જરાના સ્થાન બને છે અને જે કર્મનિર્જરાના સ્થાનો છે એ જ આશ્રવના સ્થાનો બને છે. અર્થાત્ જો જીવમાં યોગ્યતા ન હોય તો જે કર્મત્યાગના સાધનો હોય છે તે પણ તેના માટે કર્મબંધનું કારણ બને છે. આથી જ તો જિનશાસનમાં જે જીવમાં જ્ઞાનાદિને પચાવવાની યોગ્યતા ન હોય તેવા અયોગ્ય જીવોને જ્ઞાનદાન કરવાનો નિષેધ કરેલો છે. સનત્પન્થ (ત્રિ.) (બહુસૂત્રી, બહુ આગમ) ચૌદપૂર્વી ભગવાન ભદ્રબાહુસ્વામીએ ઓઘનિર્યુક્તિમાં કહેલું છે કે, આગમ ગ્રંથોમાં કેટલાક શાસ્ત્રો એવા છે કે, જેમાં સૂત્રોનું પ્રચુર માત્રામાં કથન કરવામાં આવેલું છે. આવા ગ્રંથોને બહુસૂત્રી ગ્રંથો કહેવાય છે. ઘણી વખત સૂત્રો ઘણા બધા હોય પરંતુ, તેનો અર્થ અલ્પ હોય છે. તો વળી એવું પણ હોય કે સૂત્રોની પ્રચુરતાની સાથે તેના અર્થો પણ વિસ્તૃત હોય છે. મનાત્મસ્થ (ત્રિ.) (અપરિગ્રહી, પરિગ્રહરહિત) સાહિત્ય શાસ્ત્રમાં ગ્રંથનો એક અર્થ કર્યો છે સુવણદિ ધન. એક આત્મા જે દિવસથી પ્રવજ્યા ગ્રહણ કરે છે તે દિવસથી તે અનાત્મગ્રંથિ કે નિગ્રંથ બની જાય છે. આત્મિક સાધના સિવાય કોઇ પણ સાંસારિક પરિગ્રહને કરતો નથી. યાવતુ જીવન નિર્વાહ માટે ઉપયોગી એવા રૂપિયા, પૈસાને મૂકવા માટેનું ખિસ્યું પણ તેઓ રાખતા નથી. તેઓ સર્વથા અકિંચન બની જાય છે. મUTUવો - મન:વો (.) (ગાડું હાંકનાર 2. વિષ્ણુ) જેને બળદોના સ્વભાવ અને તેને ચલાવવાની આવડત હોય તે જ ગાડું હાંકી શકે છે. કેમ કે ગાડું હાંકનારને ખબર છે કે, કેવા પ્રકારે ગાડું ચલાવીશ તો બળદો સીધા ચાલશે અને ગન્તવ્ય સ્થાને પહોંચાડશે. તેવી રીતે જિનશાસનની ધુરાને સંભાળનારા આચાર્ય ભગવંતોને શિષ્યોને કેવી રીતે તૈયાર કરવા તેની આવડત હોય છે. તેઓ સારણા, વારણા, ચોયણા અને પડિચોયણા વડે શિષ્યોને ધર્મમાર્ગમાં રાખીને મોક્ષમાર્ગ તરફ આગળ ધપાવે છે. મપ્રિય - મર્પત (2) (અવિશેષિત, વિશેષણથી વિશિષ્ટ ન કરેલું, સામાન્ય, અવિશિષ્ટ) જગતમાં જીવ મુક્ત અને સંસારી એમ બે પ્રકારના છે, સંસારીમાં પણ બે પ્રકાર છે ત્રસ અને સ્થાવર, ત્રસમાં પણ જે પંચેન્દ્રિય સ્વરૂપ છે, પંચેન્દ્રિયમાં મનુષ્યરૂપ છે આ રીતે કોઇપણ પદાર્થનો વિશેષ બોધ કરાવવો તે અર્પિત છે. અને જેનો સામાન્યથી જ બોધ કરાવવામાં આવ્યો હોય તેને અનર્પિત કહેવાય છે. મખિયાય - મનપંતન (કું.) (સર્વ વસ્તુ સામાન્ય જ છે એમ માનનાર એક નય, વિશેષ નિરપેક્ષ સામાન્ય ગ્રાહી નય વિશેષ) વિશેષાવશ્ક ભાષ્ય અને આચારાંગ ચૂર્ણિમાં અનર્પિતનયનું કથન કરવામાં આવેલું છે. આ નય એવું માને છે કે, આ જગતમાં વિશેષણોથી વિશિષ્ટ કોઇ પદાર્થ જ નથી. અર્થાત તે દરેક પદાર્થને સામાન્યપણે માને છે. જેમ જીવના સંસારી-મુક્ત, ત્ર-સ્થાવર વગેરે ભેદો કર્યા તે ન માનતા બધા જ ભેદો જીવમાં સમાઈ જતા હોવાથી એકલા જીવ દ્રવ્યને જ માનવું જોઇએ. અપાવત - ઋUવત (.) (ઘણો લેણદાર) શાસ્ત્રમાં કહેલું છે કે, જે લેણદાર હોય તેણે ક્યારેય પણ દેવાદાર પર જોર કરવું જોઈએ નહિ. અર્થાત્ દેવાદાર પૈસા પાછા આપવાની પરિસ્થિતિમાં ન હોય તો તેના પર રૂપિયા પાછા આપવા માટેનું દબાણ કદાપિ કરવું જોઇએ નહિ. ઉલટાનું એમ કહેવું જોઇએ કે 241
SR No.006003
Book TitleShabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorVaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy