________________ હેઠળ પોતાનો જીવન વ્યવહાર બનાવવો જોઈએ. अणत्थंतर - अनर्थान्तर (न.) (એકાર્થક, એક જ અર્થવાળો શબ્દ) ઘણા જૈનોને પોતાના દર્શન વિષે વપરાતા પારિભાષિક શબ્દો કે શાસ્ત્રીય શબ્દો અંગે ખ્યાલ નથી હોતો. તેઓ જૈનધર્મ સિવાયના સ્યાદ્વાદસિદ્ધાંત, અનેકાન્તદર્શન કે આત્ દર્શન વગેરે જૈન ધર્મના સંદર્ભમાં વપરાતા પર્યાયવાચી શબ્દોથી અપરિચિત હોય છે. અસ્થિ થ - અનર્થસ્થ (પુ.) (ભાવધનયુક્ત). ઘરની તિજોરીઓમાં અને બેંકના લોકરોમાં ભલે કરોડો રૂપિયાની સંપત્તિ પડી હોય પરંતુ, જો હૃદયમાં અતિથિ પ્રત્યે સત્કાર, વડીલો પ્રત્યેનો આદરભાવ નથી તો તેના જેવો ગરીબ બીજો કોઇ નથી. કાગળના રૂપિયા અને સોના-ચાંદી ક્યારેય સાથે નથી આવતા. સાથે આવે છે તો હૃદયમાં ઉત્પન્ન કરેલ સભાવનું ધન. ઘરમાં કે ખિસ્સામાં ભલે પૈસા ન હોય પરંતુ, ચિત્ત જો મૈત્રી-દયા આદિ ભાવધનયુક્ત હોય તો તેને આ દુનિયાનો સૌથી અમીર વ્યક્તિ માનજો. અસ્થિવૃત્ત - અનર્થવૂડ (પુ.). (નિજગુણથી ઉપાર્જિત નામવાળો રત્નપતીનો પુત્ર) अणत्थदंडज्झाण - अनर्थदण्डध्यान (न.) (નિમ્પ્રયોજન જ હિંસાદિ કરવાનું ધ્યાન કરવું તે) આ સંસારમાં એવા લોકો પણ હોય છે કે જેઓ કોઇ કારણ વિના પણ બીજાને હેરાન ન કરે તો ચેન ન પડે. આવા લોકોને વ્યવહારમાં નારદવૃત્તિવાળા કહેવામાં આવે છે. તેઓનું ધ્યાન હંમેશાં નિષ્ઠયોજન જ બીજાને કેવી રીતે હેરાન કરવા તેમાં જ પરોવાયેલું હોય છે. શાસ્ત્રમાં કહેલું છે કે, આવી પ્રવૃત્તિ અને ચિત્તવૃત્તિવાળાઓ મૃત્યુ પામીને હીનકક્ષાના કહેવાતા પરમાધામી કે કિલ્બિષિક દેવયોનિમાં પણ ઉત્પન્ન થાય છે. अणत्थफलद - अनर्थफलद (त्रि.) (સ્વ-પરને અનર્થકારી ફળ આપનાર) શ્રાવકે માત્ર પોતાના માટે જ જે આહાર બનાવ્યો હોય. તેવા શુદ્ધ અને નિર્દોષ આહારવાળી ભિક્ષા ઉત્કૃષ્ટ ભાવ સાથે સાધુને વહોરાવે. અને સામે પક્ષે સર્વ પ્રકારે દોષરહિત હોય તેવી ભિક્ષા ગ્રહણ કરે તો સાધુ અને શ્રાવક બન્ને માટે તે ભિક્ષા કર્મનિર્જરા અને પુણ્યનો બંધ કરાવનારી બને છે. પરંતુ શ્રાવક સદોષ ભિક્ષા સાધુને વહોરાવે અને સાધુ દોષિત ભિક્ષા જાણવા છતાં પણ ગ્રહણ કરે તો તે ભિક્ષા બન્નેને અનર્થકારી ફળ આપનારી બને છે. अणथमियसंकप्प - अनस्तमितसंकल्प (पुं.) (જને દિવસમાં જ ખાવાનો સંકલ્પ છે તે) ચૌદવર્ષના વનવાસ દરમિયાન લક્ષ્મણ જ્યારે પોતાના પુણ્ય પ્રતાપે રાજકન્યાને પરણીને આગળ જતાં હતા ત્યારે કન્યાએ હઠ પકડી કે, હું તમારી સાથે આવીશ. તે સમયે લક્ષ્મણે કહ્યું કે વનવાસ અતિ કઠિન છે તારા જેવી સુકોમલ કન્યાથી તે સહન નહીં થાય પરંતુ, જ્યારે વનવાસ પૂરો થશે ત્યારે ચોક્કસ તને લેવા આવીશ.કન્યાએ શંકા સાથે કહ્યું કે, તેની ખાત્રી શું? ત્યારે લક્ષ્મણ બોલ્યા, જો હું તને દગો આપું તો મને રાત્રિભોજન કરનારને જે પાપ લાગે તેટલું જ પાપ મારે માથે. વિચારી જુઓ! રાત્રિભોજનમાં કેટલું મહાપાપ હશે. આજે પણ એવા કેટલાય છે જેઓને રાત્રિભોજનનો ત્યાગ છે. ધન્ય છે તે રાત્રિભોજન ત્યાગી મહાત્માઓને. अणत्थवाय - अनर्थवाद (पुं.) (નિમ્પ્રયોજન બોલવું તે). પ્રવજ્યા ગ્રહણ કર્યા બાદ ચારજ્ઞાનના સ્વામી તીર્થકર ભગવંતો જ્યાં સુધી કેવલજ્ઞાન પ્રાપ્ત નથી થતું ત્યાં સુધી મૌનને ધારણ કરનારા હોય છે. કેમ કે તેઓ જાણે છે કે છદ્મસ્થાવસ્થામાં અસત્ય બોલાઈ જવાની સંભાવના છે. ઉત્કૃષ્ટ એકાગ્રચિત્તવાળા પરમાત્માઓ પણ જો બોલવાનું ટાળતા હોય તો નિપ્રયોજન કેટલુંય બોલનારા આપણાથી શું અસત્ય નહીં બોલાઈ જવાય? જેઓ 239