SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીઆનંદઘનજીના વચનોને આધ્યાત્મિકવચનો તરીકે મનાય છે. તેઓએ રચેલી સ્તવનચોવીસીમાં જૈનદર્શનના ચારેય અનુયોગોને વણી લીધા છે. अज्झत्थविसीयण - अध्यात्मविषीदन (न.) (સંયમના કષ્ટોથી વિષાદ પામેલું, સંયમભીરુ) अज्झत्थविसुद्ध - अध्यात्मविशुद्ध (त्रि.) (સુવિશુદ્ધ અંત:કરણવાળો, અધ્યાત્મવિશુદ્ધિયુક્ત) अज्झत्थविसोहिजुत्त - अध्यात्मविशोधियुक्त (त्रि.) (વિશુદ્ધ આંતરિકભાવવાળો, પવિત્ર વિચાર છે જેના તે, આંતરિક શુદ્ધિવાળો) આજનું વિજ્ઞાન પણ માને છે કે, વિચારોની પવિત્રતા વ્યક્તિના જીવનને સમતોલ રાખે છે. ઘણા બધા રોગોનું મૂળ વિચારોમાં પડેલું હોય છે. જો સતત મલીન કે દુષ્ટ વિચારો કરવામાં આવે તો યાવતું કેન્સર જેવા અનેક રોગો ઉદ્દભવે છે. અસ્થિવેટ્ટ () - અધ્યાત્મવિ(ત્રિ.). (સુખ-દુઃખના સ્વરૂપને જાણનાર, અધ્યાત્મવેત્તા) 'अज्झत्थसंवुड - अध्यात्मसंवृत (त्रि.) (સત્રાર્થના ઉપયોગથી અશુભમનોયોગને રોકનાર 2. સ્ત્રીભોગના ગ્રહણરહિત મનવાળો) મન અતિચંચળ છે. તેની ગતિ અબાધ્ય છે. તેથી સાધકે ખૂબ જ ઉપયોગપૂર્વક મનનું સંગોપન કરવું પડે. આચારાંગસૂત્રમાં મનને અશુભ વિચારોથી અટકાવવા માટે સુત્રાર્થપૂર્વકનું સ્વાધ્યાયરૂપ રસાયણ સેવવા બતાવેલું છે. અલ્પસમ - અધ્યાત્મસમ (ત્રિ.) (અધ્યાત્મને અનુરૂપ પરિણામવાળો) અથસુ - અધ્યાત્મશુતિ (સ્ત્રી.) (ચિત્તજયનું પ્રતિપાદક શાસ્ત્ર, અધ્યાત્મશ્રુતિ શાસ્ત્ર) અધ્યાત્મના માર્ગમાં પ્રવેશ કરવા માટે આગમગ્રંથોમાં સૂચક માર્ગદર્શન કરાયેલું છે. ચિત્તના સંકલ્પ-વિકલ્પો શાંત કર્યા વગર અધ્યાત્મમાં સંચરણ કરવું સંભવતું નથી. માટે જેણે અધ્યાત્મને અનુરૂપ પરિણતિ ઘડવી હોય તેણે યોગશતક, પ્રશમરતિ વગેરે યોગના ગ્રંથોથી ચિત્તજનો ઉપાય કરી લેવો ઘટે. अज्झत्थसुद्धि - अध्यात्मशुद्धि (स्त्री.) ' (ચિત્તની શુદ્ધિ, આધ્યાત્મિક વિશુદ્ધિ) अज्झत्थसोहि - अध्यात्मशोधिन् (स्त्री.) (ચિત્તની શુદ્ધિ, અન્તઃકરણની વિશુદ્ધિ) પ્રાયઃ 1444 ગ્રંથોના પ્રણેતા આચાર્ય શ્રીહરિભદ્રસૂરિજીએ યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથમાં ચિત્તની વિશુદ્ધિ માટે આઠદષ્ટિઓના વિશ્લેષણના માધ્યમથી અદ્ભુત માર્ગદર્શન કરેલું છે. અધ્યાત્મયોગના અભ્યાસુઓએ તે ગ્રંથ અવશ્ય વાંચવા જેવો છે. अज्झत्थिय - आध्यात्मिक (त्रि.) (આત્માસંબંધી, ચિત્તમાં ઉત્પન્ન થયેલું 2. અભ્યતર ઉપાય સાધ્ય સુખ-દુઃખાદિ) સુખ-દુઃખાદિના પ્રસંગોએ આરાધક આત્મા પોતાની અત્યંતર પરિણતિરૂપ ઉપાયથી પોતાના આત્મભાવને સ્થિર રાખી કર્મોને ખપાવે છે. જયારે અન્ય જીવો સુખ-દુઃખાદિના પ્રસંગોએ અનેક પ્રકારે કર્મબંધ કરી ભવભ્રમણ વધારી લેતા હોય છે. अज्झत्थियवीरिय - आध्यात्मिकवीर्य (न.) (આત્મિકશક્તિ, આત્મવીર્ય 2. ઉદ્યમ ક્ષમા તપ કૃતિ આદિ). ગીનીસબુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કે સરકસમાં જાત જાતના કરતબો જોઇને આપણે દંગ રહી જઈએ છીએ, કે અહોહો આવું તે કેવી રીતે 183
SR No.006003
Book TitleShabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorVaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy