SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથમાં ગુણસ્થાનક ક્રમારોહમાં બે શ્રેણિ આવે છે 1. ક્ષપકશ્રેણિ 2. ઉપશમશ્રેણિ. કર્મોનો સર્વથા ક્ષય કરીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરવું તેનું નામ છે ક્ષપકશ્રેણિ. જ્યારે કચરાવાળા પાણીમાં ફટકડી નાંખતા બધો જ મેલ નીચે બેસી જાય છે અને પાણી એકદમ સ્વચ્છ લાગે છે પરંતુ, જરાક પાણી હાલતાં પાછું મેલું થઇ જાય છે તેમ ઉપશમશ્રેણિમાં શુભ પરિણામથી થોડોક સમય માટે કર્મોનો ઉપશમ થતા, આત્મા શુદ્ધ થાય છે. પરંતુ નિમિત્ત મળતા જીવ પાછો કર્મયુક્ત મલિન થઇ જાય છે. છથી - મચ્છથી (ત્રિ.). (શુભમતિ, નિર્મળ બુદ્ધિ) ઉપમિતિભવપ્રપંચા કથામાં ઓલા ભિખારીને લોચન ગુરુ પહેલાં વિમલાલોકરૂપ અંજનથી આંખો આજે છે જેથી તેને સ્પષ્ટ દેખાય. આનો સાર કહેતા સિદ્ધર્ષિગણિ જણાવે છે કે, જ્યાં સુધી જીવ શુભ-શુદ્ધ મતિવાળો નથી થતો ત્યાં સુધી તેને સત્યભૂત તત્ત્વનું જ્ઞાન થતું નથી અને જ્યાં સુધી તત્ત્વ ન સમજાય ત્યાં સુધી જિનશાસનમાં સાચો પ્રવેશ થવો દુર્લભ છે. अच्छभल्ल - अच्छभल्ल (पुं.) (રીંછ ૨.હિંસક પ્રાણીવિશેષ) સાધુને વિહારક્રમમાં કોઇક સમયે બે વિકલ્પ સામે આવીને ઊભા રહે કે, જંગલમાંથી પસાર થવું કે પછી નદી પાર ઉતરીને જવું. જો નદી પાર ઊતરે છે તો જીવવિરાધના થાય છે અને જંગલમાંથી પસાર થતાં રસ્તામાં હિંસક પ્રાણીઓનો ભેટો થવાથી મૃત્યુ વગેરે આત્મવિરાધના થાય છે. આવા સંજોગોમાં શાસ્ત્ર કહે છે કે, જીવવિરાધના કરતાં આત્મવિરાધના મોટી છે. કેમ કે જીવવિરાધના થશે તો તેનું પ્રાયશ્ચિત્ત લઈ લેવાશે પરંતુ, મૃત્યુ પામ્યા બાદ આવું ઉત્કૃષ્ટ ચારિત્ર જીવન ફરી મળવું દુર્લભ છે. ગ૭મા - માલીન (વિ.) (બેસતો, આસન લગાવતો) अच्छरगणसंघसंविइण्ण - अप्सरोगणसंघसंविकीर्ण (त्रि.) (અપ્સરાઓના સમુદાયથી પરિવૃત્ત, અપ્સરાઓના સમૂહથી શોભાયમાન) તીર્થંકર પરમાત્મા ઉત્કૃષ્ટ માધ્યસ્થ ભાવને ધારણ કરનારા હોય છે. સાધના અવસ્થામાં કોઈએ તેમની પર ઉપસર્ગ કર્યો હોય તો પણ તેના પ્રત્યે તેઓ ક્યારેય પણ ક્રોધિત નથી થતા. તથા કૈવલ્યલક્ષ્મી પ્રાપ્ત કર્યા બાદ સમવસરણમાં દેવલોકની અપ્સરાઓ અતિભક્તિભાવથી પરમાત્મા સમક્ષ નૃત્ય કરતી હોય છે તે વખતે અપ્સરાઓના સમુદાયથી વ્યાપ્ત મારુ સમવસરણ છે એમ અતિહર્ષ પણ નથી કરતા. અનુકૂળ કે પ્રતિકૂળ પ્રસંગોમાં રાગી કે દ્વેષી ન થતાં માત્ર સમભાવને ધારણ કરે છે. મચ્છસ - મછાસ (ત્રિ.) (અતિનિર્મલ, એટલું સ્વચ્છ કે પાસેની વસ્તુનું પ્રતિબિમ્બ પડે) સ્વચ્છતાં એ એક ગુણ છે. આ ગુણ સર્જન અને દુર્જન બન્નેને પસંદ પડે છે. જલ સ્વચ્છ હોય, અરીસો સ્વચ્છ હોય, ઘર સ્વચ્છ હોય અને પોતાનું શરીર સ્વચ્છ હોય એવો આગ્રહ દરેક જણ રાખે છે. પ્રશ્ન એ થાય છે કે, અતિસ્વચ્છતાના આગ્રહી લોકો પોતાનો આત્મા પણ અત્યંત નિર્મળ અને ગંદકીરહિત હોય તેની દરકાર શા માટે નથી લેતા? જો પોતે કે પોતાની આસપાસની વસ્તુ સ્વચ્છ જોઇએ તો જેને તેમાં રહેવાનું છે તે આત્મા શા માટે નહીં? કચ્છમસા - 3 (ત્રી.) (કોઈપણ દેવી 2. રૂપ થકી દેવી તુલ્ય સ્ત્રી) પ્રશ્નવ્યાકરણસૂત્રના આશ્રદ્વારમાં વર્ણન મળે છે કે, મેરુપર્વતના નંદનવનની કંદરાઓમાં રહેનારી રૂપવતી અપ્સરાઓ, ઉત્તરકુરુ માનુષોત્તર પર્વતની આશ્ચર્ય રીતે જોનારી અપ્સરાઓ ત્રણ પલ્યોપમનું પરમાયુષ્ય ભોગવીને દેવભવને પૂર્ણ કરે છે. अच्छरसातंडुल - अच्छरसतण्डुल (न.) (શ્વેત દિવ્ય ચોખા). રાજપ્રશ્નીય, જીવાભિગમ અને આવશ્યકસૂત્રની મલયગિરિજીની ટીકામાં પ્રભુની આગળ સ્વસ્તિકાદિ અષ્ટમંગલની આલેખના કરવાનું વિધાન કરેલું છે. તે અષ્ટમંગલ ચોખાથી કરવાનું કહ્યું છે અને તે ચોખા કેવા કેવા? તે માટે કહેલું છે કે, પાસે પડેલી વસ્તુનું 14s
SR No.006003
Book TitleShabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorVaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy