SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ શણગાર સજેલી સ્ત્રી વધુ સુંદર લાગે છે, ભોજનમાં મીઠાઈ હોય તો સ્વાદિષ્ટ લાગે છે. તેમ કથાકારના શબ્દોમાં વૈવિધ્ય સાથે અર્થગાંભીર્ય અને પદોમાં લાલિત્ય હોય તો એવા પદલાલિત્ય અલંકત ઉપદેશવાક્યોથી લોકોને હૃદયંગમ અર્થબોધ થાય છે. જિનશાસનમાં આવા કથાકાર-ઉપદેશક નંદીષેણમુનિ થઈ ગયા છે, જેમણે રોજ દશ વ્યક્તિઓને પ્રતિબોધ પમાડીને જમવાનો નિયમ લીધો હતો. अक्खरसंबद्ध - अक्षरसंबद्ध (पु.) (શબ્દમાં અક્ષર સ્પષ્ટ હોય તે) જિનેશ્વર મહાવીરના શાસનમાં ગણધર ભગવંતાદિ રચિત દરેક સૂત્રો મંત્રસમાન ગણવામાં આવ્યા છે. તેના પઠનથી ન ધાર્યા હોય તેવા આશ્ચર્યો સર્જાયા છે અને સર્જાય છે. અત્યારે તેવો અનુભવ નથી થતો તેનું એકમાત્ર કારણ છે સૂત્રોનો અસ્પષ્ટ ઉચ્ચાર અને હૃદયમાં અશ્રદ્ધા. સૂત્રપઠન હંમેશા ગુરુ કે વડીલની નિશ્રામાં રહીને જ કરવું જોઇએ. જેથી સૂત્રોચ્ચારણમાં કોઈ અશુદ્ધિ હોય તો ધ્યાનમાં આવે. अक्खरसण्णिवाय- अक्षरसन्निपात (पु.) (અક્ષરોનો સંયોગ, અકારાદિ અક્ષરોનું જોડાણ) અક્ષરો કે પદોને આગળ પાછળ મૂકવાથી તેને સાંભળનાર કે વાંચનારને તેનું અનુસંધાન કરતાં તકલીફ પડતી હોય છે. અથવા તો તેનો અર્થબોધ જ દુર્બોધ થઈ જાય. દા.ત. 1. સાંઈઠ ફૂટના રમેશે ઘરો બનાવ્યા. અને 2. રમેશે સાંઇઠ ફૂટના ઘરો બનાવ્યા. આ બન્ને વાક્યમાં પ્રથમ વાક્યથી શ્રોતાને વિપરીત જ્ઞાન થશે અને બીજા વાક્યના શ્રવણથી યથાર્થ બોધ થશે. માટે શબ્દો વગેરે જો ક્રમસર ગોઠવવામાં આવે તો જ તે લોકભોગ્ય બને છે. લોકપ્રિય પ્રવચનકારોના વક્તવ્યમાં અક્ષર સંયોગનો સુમેળ સહજપણે જોવા મળે છે. વરસમ - અક્ષરસમ (.) (ગેયસ્વર વિશેષ, હ્રસ્વ દીર્ઘ જે અક્ષર જેવો હોય તેવો બોલવો તે) પ્રાચીન સમયમાં રાજસભામાં લોકમનોરંજન માટે ગીત-ગાનના કાર્યક્રમો યોજાતા હતાં. તેમાં સંગીતના સુંદર જાણકાર ગવૈયા પોતાની ગાનકળાથી રાજા અને પ્રજાના દિલ જીતી લેતા હતા. ગીત ગાતી વખતે તેઓ બોલાતા પદોમાં અક્ષરોની સ્વતા, દીર્ઘતાદિનું ખાસ ધ્યાન રાખતા હતા જેથી ગીતનો લયભંગ ન થાય. अक्खरसमास - अक्षरसमास (पुं.) (અકારાદિ અક્ષરોનું જોડાણ-મેળાપ, અક્ષરસમૂહ). અક્ષરો કે પદોમાં પરસ્પરનું યોગ્ય જોડાણ હોવું આવશ્યક છે. અન્યથા, અર્થનો અનર્થ થઇ જવાનો સંભવ છે. જેમ સમ્રાટ અશોકે તેના પુત્ર કૃણાલ માટે મારો ગથીયત' અર્થાતુ, હવે કુમારને અધ્યયન કરાવો, એવો આદેશ કરેલો. પરંતુ કૂટનીતિથી “અ” ના સ્થાને ‘એ' કરી દેવાથી ‘કુમાર સંઘીયત' અર્થાતુ, કુમારને અંધ બનાવો. એમ બિંદી માત્રનો ફરક થવાથી કુમારને પોતાની આંખો ગુમાવવી પડી હતી. સવન (શી-.). (અખરોટનું વૃક્ષ 2. અખરોટનું ફળ) દુખલોકો બોરના જેવા હોય છે જે બહારથી બોરની જેમ નરમાશવાળા અને અંદરથી કઠણ ઠળીયાની જેમ ક્રૂરતાવાળા હોય છે. જ્યારે સાધુ-સજ્જન પુરુષો બહારથી અખરોટ જેવા કઠોર દેખાતા હોય છે પણ અંદરથી સાવ નરમ-સ્નેહાર્દ્ર હોય છે. અવશ્વતિયું (દેશી) (પ્રતિબિંબ પડેલું 2. પ્રતિધ્વનિત 3. આકુળ-વ્યાકુળ) શરીરના રોગોથી વ્યાકુળ બનેલો રોગી ડૉક્ટર કે વૈદ્ય પાસે જાય છે અને તેઓની દવાથી તે જલદી સાજો પણ થઈ જાય છે. હે નાથ! હું પણ આ ક્રોધ-માન-માયા-લોભરૂપી રોગોથી આકુળ-વ્યાકુળ થયેલો આપની પાસે આવ્યો છું. આપ મને તત્ત્વોની કોઇક એવી ગોળી પીવડાવો જેથી મારા દુઃસાધ્ય ભવરોગનો જલદીથી નિકાલ આવે. મને શ્રદ્ધા છે કે, આ રોગનો નાશ આપ જ કરી શકો છો.
SR No.006003
Book TitleShabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorVaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy