SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ શંકર : : ઉપદેશહિસ્ય ગાથા-૧૧૪ પરિગ્રહ સ્વરૂપ હોવાથી તે પણ દોષિત ઠરશે. કારણ કે “તી દુદ...” ઈત્યાદિ શાસ્ત્ર વચનથી ધપકરણ પણ કચત પરિગ્રહ રૂપ છે તે સુનિશ્ચિત છે. દ્રવ્યતઃ પરિગ્રહપરિણામે દેષિત નથી પણ દ્રવ્યહિંસા પરિણામ દેષિત છે.” આમ કહેવું યુક્તિહીન હૈવાથી એ તો કેવળ પોતાના ઘરમાં કહેવું શોભે, વિદ્વાનની સભામાં એમ કહેવું એ તો હાસ્યાસ્પદ છે. આનાથી એ દલીલનું પણ નિરાકરણ થઈ જાય છે કે-“દ્રવ્ય હિંસા પરિણતિ ચિત્તમાં હિંસકપરિણામપ્રયેજક હોવાથી દેષિત છે”–કારણ કે એનાથી એની સામે દ્રવ્ય પરિગ્રહપરિણતિ ભાવથી મૂછમાં પ્રજાક બનવાની આપત્તિ ઊભી થાય છે. અપવાદ વિના જાણપણુમાં થતી હિંસા જે દુષ્ટ જ હોય તો પછી અપવાદ વિના જાણપણામાં કરાતો ધર્મોપકરણને પરિગ્રહ દુષ્ટ કેમ નહિ ? જે અહીંયા એવી દલીલ કરવામાં આવે કે ધર્મોપકરણનો ત્યાગ કરવો અશક્ય છે તે સામે પક્ષે પણ દલીલ સરખી છે. ધર્મ સાધક દ્રવ્ય હિંસાનો ત્યાગ અશક્ય છે. કારણકે હિંસા કરવાના સંકિલષ્ટ પરિણામથી પ્રેરાઈને ત્યાં હિંસા કરવામાં આવતી નથી, કિંતુ ગચંચળતા આદિ કારણે જે હિંસા અવશ્ય ભાવિ છે તેને પરિહાર થઈ શકતો નથી. જો એવી દલીલ કરવામાં આવે કે “અંતરાય કર્મ ક્ષીણ થઈ ગયા પછી જીવ ધારે તેમ કરી શકે એમ હોવાથી દ્રવ્યહિંસાનો ત્યાગ અશક્ય નથી, જ્યારે લૌકિક સભ્ય વ્યવહારના પાલન માટે ધર્મોપકરણનો ત્યાગ અશક્ય છે.” તે એ પણ બરાબર નથી કારણકે એકવાર દ્રવ્યતઃ પરિગ્રહ સ્વરૂપ દ્રવ્યાશ્રવપરિણામને દેષિત માન્યા પછી તેને ત્યાગ અશક્ય હેવા માત્રથી દેષનું નિવારણ થઈ જતું નથી. જે એમ કહેવામાં આવે કે ધર્મોપકરેલું રાખવામાં રાગાદિભાવ ન હોવાથી ત્યાં દેષ નથી તે ગમનાગમન વગેરે પ્રવૃત્તિમાં પુદગલે અભિધાન પ્રયુક્ત પર વિગ હોવાથી રાગાદિ રહિતને શું દેષ છે ? “તેમાં દેશે અશુદ્ધ થઈ જવાની આપત્તિ છે તેમ કહેવું પણ બરાબર નથી કારણ કે જેમાં શુદ્ધતા કે અશુદ્ધતા સ્વરૂપે પ્રયુક્ત નથી (અર્થાત્ અમુક પ્રકારના વેગે શુદ્ધ અને અમુક પ્રકારના અશુદ્ધ એવી નિશ્ચિત ભેદરેખા નથી) પણ રાગાદિપૂર્વક અને તદભાવ એ જ ગેમો શુદ્ધિ-અશુદ્ધિ પ્રાજક છે અને તેથી જ તે [અપવાદપની વિરાધનાથી પણ નિર્જરાફળ] जा अवमानस्स मबे विराहणा सुसविहिसमग्गस्स ।। સા ૪ કિન્નરવત્ર મત્યવિહિગુત્તરૂ | આ વચનથી શાસ્ત્રમાં અર્પવાઝપદે થતી વિરાધનાને પણ નિર્જરાના હેતુ રૂપે સિદ્ધ કરી દર્શાવી છે. જેને એવી શંકા થતી હોય કે નાગાદિ પ્રયુક્ત ગાશુદ્ધિ દ્રવ્યહિંસામાં ભલે ન હોય પરંતુ વ્યાવહારિક અશુદ્ધિ તેમાં અવગણું શકાય તેમ નથી. અને આવી વ્યાવહારિક અશુદ્ધિ કેવલી ભગવાનના પૈગમાં માનવી ઉચિત ન ગણાય–તે આવી શંકાવાળાએ વ્યવહારંથી અશુદ્ધ અર્થાત જુગુપ્સનીય એવી કેવલી ભગવાનની નીહારાદિ ચેષ્ટા પણ માનવી જોઈએ નહિ. જે તેમાં એ બચાવ કરાય કે લેકવ્યવહારમાં નીહારાદિ ચેષ્ટા અશુદ્ધ હોવા છતાં પણ શાસ્ત્રીય વ્યવહારમાં શુદ્ધ જ છે તે આ દલીલને સામા પક્ષમાં પણ પૂર્ણ અવકાશ છે. લેકવ્યવહારથી દ્રવ્યહિંસાપ્રયજક યોગ અશુદ્ધ મનાય તો પણ શાસ્ત્રીય વ્યવહારથી તે શુદ્ધ જ છે. આ તે એક દિશાસૂચન માત્ર છે. ૧૧૮
SR No.006002
Book TitleUpdesh Rahasya
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Jain Sangh
Publication Year1983
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy