SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહ્મ, સ્વામી શિવાનંદ સરસ્વતી-હૃષીકેશ વધારાની ૫૦ માળાનો જપ કરો.’' ડાયરીમાં લખો: ‘‘આજે બે વખત માણસમાં ઈશ્વરદર્શન ન કર્યાં.'' એક કે બે વર્ષ આમ કરી જુઓ. ધ્યાન ખેંચે તેવી શાંતિ મળશે, અચંબો પમાડે તેવી આધ્યાત્મિક પ્રગતિ સાધી શકાશે. ઇચ્છાશક્તિ દૃઢ થશે. ઘણી જાતનાં દુ:ખ, તકલીફો, માનસિક તનાવ ખતમ થશે. ભક્તિ વધશે. તમારો આધ્યાત્મિક વિકાસ ઝડપી બનશે. તમે તદ્દન બદલાઈ જશો. આ પૃથ્વી પરના દેવ બનશો. આજથી જ આ આદત કેળવશો; ને મિત્રો ! અઠવાડિયે એક વાર રોજનીશી તપાસો. જો રોજનીશી રાખશો તો દરરોજ વીસ ભૂલો કરતા હશો તે છ મહિનામાં ઘટીને પાંચ થઈ જશે. સારા દિવસો ઊગશે અને એક પણ ભૂલ કદી ન થાય તેવો સમય પણ આવશે.’' ૬૬મા જન્મદિવસ પૂર પ્રવચન આપતાં કહ્યું: ‘‘આત્મવિશ્લેષણમાં મનનો એક ભાગ બીજા ભાગને તપાસે છે. તમારી ભૂલો તમારી સામે ખુલ્લી પડી જાય છે. રોજનીશીમાં તેને ટપકાવી લો. દૂધવાળાની, ધોબીની, શાકવાળાની, બજારની, હિસાબની એવી અનેક ડાયરી રાખો છો. મનને ઈશ્વર તરફ વાળતી સૌથી વધુ મહત્ત્વની આધ્યાત્મિક ડાયરી તો રાખતા જાઓ. હું આજે કક્યારે ઊઠ્યો ? મારી કઇ ઇન્દ્રિય હેરાન કરે છે? કેટલા જપ કર્યા ? મનની સ્થિતિ કેવી છે ? કેટલી સાત્ત્વિકતા વિકસાવી ? જો અમરતા પ્રાપ્ત કરવી હોય તો આવી ડાયરી રાખો.'' મારા શિષ્યો પોતાનાં શરીર, ખોરાક કે દાઢીની ચિંતામાં ન પડે. સર્વવ્યાપી બ્રહ્મમાં સતત ઓતપ્રોત રહેવા પ્રયત્ન કરે. તમે ગમે ત્યાં રહો, ફાવે તેવા પોશાક પહેરો પણ મારી સૂચનાઓનું ४०
SR No.005999
Book TitleShivanand Saraswati Santvani 27
Original Sutra AuthorN/A
AuthorShivanand Adhvaryu
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2006
Total Pages82
LanguageGujarati
ClassificationInterfaith
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy