SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ દિટન કરે રામ-કૃષ્ણ જ વસદેવ-દેવકી પર ગોકુળપર્વ હતાં, પણ આ અક્રૂરનું આગમન તે જાણે વ્રજને જીવતાં દાંટવા માટે થયું હોય એમ એને લાગ્યું. ૧૭. અરે રામ-કૃષ્ણ જેડે એકાંતમાં ઘણી વાતે કરી. કંસના જુલમની હકીકત કહી; વસુદેવ-દેવકી પર થયેલા અત્યાચારે સંભળાવ્યા; રામ-કૃષ્ણને મલ્લયુદ્ધમાં નોતરવામાં કંસને આંતરિક ઉદ્દેશ પણ જણાવ્યું, અને રામ-કૃષ્ણ જે કંસને અંત લાવે તો યાદવ સર્વે એના પક્ષમાં જ રહેશે એવી ખાતરી પણ આપી. ૧૮, રામ અને કૃષ્ણ સર્વે હકીકત સાંભળી લીધી. કંસને ભારે પૃથ્વી પરથી હલકે કરવાને એમને ધર્મ પ્રાપ્ત થયું છે એમ એમને સ્પષ્ટ ભાસ્યું. એમણે અક્રૂર જોડે જવાનો નિશ્ચય કર્યો. ૧૯ રામ અને કૃષ્ણને વિદાય કરવાને વખત આવે. વિદાય એટલે લગભગ નિરંતરને જ વિયેગ હતે. એ વિદાયગીરી વળાનું દશ્ય શુષ્ક હૃદયને પણ રડાવે એવું હતું. નંદ-યશોદાને તે વગર મતે એકના એક પુત્રને ઈ બેસવા જેવું થયું. વ્રજવાસીનાં ચિત્તને કનૈયાએ એવાં આકષી લીધાં હતાં, કે શરીરના રંગથી સાર્થક થયેલું નામ એની પ્રેમની શક્તિથી પણ ગ્ય કર્યું. જ્જવાસીને મન મધુરી મોરલીવાળે સર્વસ્વ થઈ પડયો હિતે. કૃષ્ણ એમનાં મન તે લઈ જ લીધાં હતાં, અને તન-ધન પણ એ પોતા પાસે રાખવા ઇચ્છતાં નહોતાં. પતિપુત્રાદિક પર એમને નૈસર્ગિક મિહ પણ કૃષ્ણના દિવ્ય માધુર્ય આગળ હારી ગયે. કૃષ્ણ વ્રજવાસીઓનું જીવન
SR No.005973
Book TitleRam ane Krishna
Original Sutra AuthorN/A
AuthorKishorlal Ghanshyamlal Mashruwala
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages152
LanguageGujarati
ClassificationInterfaith
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy