SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ અથાણસને કૃણ ઘેડાને એવા જોરથી ઉછા કે એ ધડિંગ દઈને નીચે પડ્યો અને સાથે કેશીને પણ પછાડ્યો. કેશી જમીન પર પડતાં જ યમદ્વાર પહોંચે અને ઘેડે પણ થોડાં તરફડિયાં ખાઈ એ જ માગે ગયે. આ સમાચાર સાંભળી કંસના તે હોશકેશ જ ઊડી ગયા. એ ભૂખ, તરસ ને ઊંઘ ખોઈ બેઠે. એનું હૃદય એને ડંખવા લાગ્યું. ચિંતાથી એ ઘરડા જેવો થઈ ગયે. જાગતાં અને સ્વપ્નમાં એ ભયને જ જેવા લાગે. ' ૧૪. છતાં, અખાડાને મંડપ તૈયાર થતાં એણે અક્રૂર નામે એક યાદવને રથ લઈ રામ અને કૃષ્ણને તેડવા મેક. અને ગોપને પણ નોતર્યા. સાથે સાથે એણે - પોતાના મલ્લોને સૂચના કરી રાખી કે તેમણે રામ-કૃષ્ણને રમત દરમ્યાન મારી જ નાખવા. ૧૫. અક્રર વસુદેવને પિતરાઈ હતો. એ બહારથી કંસને રાજસેવક છતાં અંદરથી વસુદેવના પક્ષને હિતે; એટલે બે ભાઈઓને મથુરા લાવતાં પહેલાં ત્યાંના રાજપ્રકરણથી વાકેફ કરવા વસુદેવના પક્ષના યાદવેએ અક્રને સમજાવી રાખે. ૧૬. અરેનો રથ નંદના આંગણામાં આવી લાગે. ગેપોએ રાજદૂતને યથાયોગ્ય સત્કાર કર્યો. અરે નંદયદાને કૃષ્ણજન્મ વિષેની ખરી હકીકત ઉઘાડી પાડી કહી. કૃષ્ણ પિતાને પુત્ર નથી એ જાણતાં જ બિચારાં નંદ અને યદા સ્તબ્ધ થઈ ગયાં. ગોપોને પણ આકાશ તૂટી પડવા જેવું થયું. અત્યાર અગાઉ વ્રજ ઉપર ઘણુંયે તોફાને ચડ્યાં
SR No.005973
Book TitleRam ane Krishna
Original Sutra AuthorN/A
AuthorKishorlal Ghanshyamlal Mashruwala
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages152
LanguageGujarati
ClassificationInterfaith
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy