SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ કૃષણ નદના વ્રજ તરફ પ્રયાણ કર્યું. ગ્રંથા પ્રમાણે તે જ વખતે નંદની સ્ત્રી યશેાદાએ પણ એક પુત્રીને જન્મ આપ્યા હતા. યશાદા મૂર્ચ્છિત અવસ્થામાં હતી. વસુદેવે છાનામાના યશેાદાની શય્યા પાસે જઈ, કરાને મૂકી કરીને ઉપાડી લીધી અને પાછા દેવકી પાસે હાજર થયા.૧ બાળકાની અદલાબદલીની વાત વસુદેવ-દેવકી સિવાય ખીજા કોઈ એ જાણી નહી. છેકરીએ રડવા માંડ્યુ, એટલામાં કદાચ રાત્રિ પણ લગભગ પૂરી થઈ હશે, એટલે ચાકીદારો જાગી ઊઠયા અને કૌંસને પ્રસૃતિના સમાચાર કહ્યા. આટલી છોકરીને જીવતી રાખ, એમ દેવકીએ ભાઈને આજી કરી, પણ કઠોર હૃદય ઉપર એની કશી અસર થઈ નહિ; અને એક શિલા ઉપર પછાડી એણે બાળકીના પ્રાણ લીધે. અત્યાર સુધી એણે છ ખાળહત્યા કરી હતી. જોકે હૃદયને નિષ્ઠુર બનાવી એણે એ બાળાને પણ મારી ખરી; પરંતુ આ તે ક્રૂરતાની હદ થઈ એમ એનું પાપી હૃદય પણ એને કહેવા લાગ્યું. એ વિષેના કાંઈક પશ્ચાત્તાપથી એણે પાછળથી વસુદેવ-દેવકીને કેદખાનામાંથી છેડયાં અને એમનું કાંઇક માન પણ રાખવા લાગ્યું. ७२ ૧. શ્રી અંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય છેકરાંઓની આ પ્રમાણેની અદલાબદલીની વાત માનતા નથી. વસુદેવે કૃષ્ણને અત્યંત બાળપણામાં નને ત્યાં સતાડી રાખ્યા એટલું જ આ કથા ઉપરથી ખાતરીપૂર્વક કહી શકાય એમ એ માને છે. વસુદેવ પુત્રીને ચરી શકે એ વાત અસંભવિત લાગે છે જ. પન્નાના જેવી સ્વામીભક્ત નદ-યશોદાએ બતાવી હોય એ અસંભવત નથી, પણુ એમ કલ્પના કરવાને કઈ આધાર નથી.
SR No.005973
Book TitleRam ane Krishna
Original Sutra AuthorN/A
AuthorKishorlal Ghanshyamlal Mashruwala
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages152
LanguageGujarati
ClassificationInterfaith
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy