SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧ અળરામ ગોકુળપર્વ જન્મતાં જ મારી નાખવા માંડ્યાં. આઠમે ગર્ભ કર્યો એ ગણવામાં કદાચ ભૂલ થાય, આઠમું બાળક મરે પણ બીજાં જીવતાં રહે તો કદાચ એ પણ બાપને કનડવા અને ભાઈને મારી નાખવા માટે એના ઉપર વેર વાળે, કદાચ એ યાદવેના નેતા થાય, એવી ધાસ્તીથી એણે વસુદેવના એક પણ બાળકને જીવતું ન રાખવાનો નિશ્ચય કર્યો. આ રીતે એણે દેવકીના છ પુત્રોને અંત આયે. ૭. રેહિણીના ગર્ભના પણ એ જ હાલ થાય, એ ધાસ્તીથી એને દહાડા રહેતાં જ વસુદેવે એને નંદને ત્યાં 2 મોકલવાની પેરવી કરી દીધી. ત્યાં એને ઊજળે ધ જે પુત્ર થયા. એનું નામ રામ પાડ્યું. પાછળથી એને અતિશય બળથી એ બળરામ અથવા બળદેવને નામે ઓળખાયા. દેવકીને સાતમે ગર્ભ ગળી પડ્યો. આગળ જતાં દેવકીને આઠમી વાર ગર્ભ રહ્યો. આ બાળકને ખસૂસ કરીને મારવાને જેમ કંસ તલપી રહ્યો હતે, તેમ એને કોઈ પણ રીતે બચાવી લેવાની વસુદેવ-દેવકીને પણ તીવ્ર અભિલાષા હતી. વેગ એ બન્યું કે આઠમે મહિને જ દેવકીને પ્રસવવેદના શરૂ થઈ. એ સમય શ્રાવણ વદિ આઠમની મધરાતને હતે. વરસાદ જોરથી પડતું હતું. પ્રસૂતિકાળને હજુ ઘણું દિવસની વાર છે એવું લાગતું હવાથી ચોકીદારે ઘેર નિદ્રામાં પડ્યા હતા. આવે સુગે દેવકીએ પુત્રને પ્રસ. ચતુર વસુદેવે તરત જ પુત્રને ઉપાડી કૃષ્ણજન્મ , લીધેઅને ચેકીદારની ઊંઘને તથા વરસાદના ઘોંઘાટને લાભ લઈ નદી ઊતરી, સામે કાંઠે
SR No.005973
Book TitleRam ane Krishna
Original Sutra AuthorN/A
AuthorKishorlal Ghanshyamlal Mashruwala
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages152
LanguageGujarati
ClassificationInterfaith
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy