SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ રામ રાક્ષસે। મંદ બુદ્ધિના કે શસ્ત્રાદિક સાધન વિનાના નહીં, પણ અત્યંત બુદ્ધિશાળી, અને યુદ્ધકળા તથા યુદ્ધની સામગ્રી બનાવવામાં અને માયાવી ( જાદુઈયાંત્રિક) વિદ્યામાં કુશળ હતા. રાક્ષસ અને અસુરમાં ભેદ છે. અસુર એટલે સામાન્ય માણસ જેવે! માણુસ જ; પણુ અતિશય કામી, ક્રાધી, લેબી, અન્યાયી, નિય, સ્વાર્થ માટે પારકાનું સર્વસ્વ નાશ કરતાં ન અચકાનાર. રાક્ષસ એ સિંહ-વાધ જેવા વનચર બળવાન મનુષ્ય; અસુર એટલે સદ્ગુણુ રહિત મનુષ્ય. અસુર તે મનુષ્યત્વના શત્રુ. અને રાક્ષસ તે જંગલી માણુસ. રાવણુ પાતે અસુર હતા પણુ રાક્ષસોને વશ કરી એમના રાજા થયા હતા એવી કલ્પના છે. છતાં ઘણી વાર એ શબ્દો અભેદપણે વપરાય છે. નોંધ ૨૭: શવ ધનુષ્ય - એટલે શિવે આપેલું ધનુષ્ય, કે ધનુષ્યના કોઈ પ્રકારનું નામ ? જેમ બનાવનાર ઉપરથી દૂકાનાં નામ પડે છે તેમ? શંકાનું કારણુ એ કે રામાયણમાં બે વાર રામને વૈષ્ણવી ધનુષ્ય મળ્યાની વાત આવે છે. એ શેવ કરતાં વધારે જમરું ગણાતું, અને લંકાના યુદ્ધમાં રામે એને જ ઉપયાગ કર્યા હાય એમ લાગે છે. એ પણુ કાઇક ખાસ પ્રકારનું ધનુષ્ય હોય એમ સંભવ છે. નોંધ ૩૭: તપશ્ચર્યા — એટલે શરીર શાષવું, નિરાહાર રહેવું, વાયુ ભક્ષણ કરી રહેવું એમ નહીં, પણુ પેાતાનું ધ્યેય પાર પાડવા માટે બીજી સર્વ ક્રિયાઓ છોડી દઈ, ધ્યેયનું અને એને પાર પાડવાનાં સાધનેનું જ અનન્યપણે ચિંતન કરવું તે. એ તપશ્ચર્યામાં યાગ્ય ગુરુનું સેવન આવી જાય. આગળ ઉપર મંત્રસિદ્ધિમાં લોકેાની શ્રા વધતી ગઈ ત્યારે ગુરુના મંત્રનું અનુષ્ઠાન, અથવા દેવની ઉપાસના પશુ તપશ્ચર્યાંમાં સમાયાં, અનન્ય ઉપાસના અથવા ચિંતનમાં ઇન્દ્રિયાન સંયમ અને વિષયેાના ત્યાગ તા આવશ્યક હાય જ; પણ જેમ જેમ સાધક ઉપાસનામાં લીન થતા ાય, તેમ તેમ સ્વાભાવિકપણે ચારેક
SR No.005973
Book TitleRam ane Krishna
Original Sutra AuthorN/A
AuthorKishorlal Ghanshyamlal Mashruwala
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages152
LanguageGujarati
ClassificationInterfaith
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy