SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ યુદ્ધકાણs ૩. રાવણને સમજાવવું શક્ય નથી એમ જોઈ વિભીષણ એના ચાર મિત્રે સહિત લંકા છોડી ગયે, અને રામને ઉપર જઈ મળે. વિભીષણના પ્રમાણિકપણાની રામના પક્ષસી ખાતરી કરી લઈ રામે એની લંકાના રાજા ' તરીકે જયઘોષણા કરી.૧ ૪. વિભીષણનું આ પ્રમાણે આવી મળવું રામને અતિશય ઉપકારક થઈ પડ્યું. એની તરફથી એને રાવણને બળની પૂરેપૂરી માહિતી મળી શકી. એની જ સલાહથી અને નળ નામના એક ઉત્તમ વાનર શિલ્પીની મદદથી રામે સમુદ્ર ઉપર સેતુ બાંધ્યું, અને તે ઉપર થઈ લંકામાં સૈન્યને ઉતાર્યું. સુવેલુ નામના પર્વત ઉપરથી રામ, લક્ષમણ, સુગ્રીવ, વિભીષણ વગેરે લંકાનું સારી રીતે નિરીક્ષણ કરી શકતા હતા. પ. રામે તરત જ લંકાની ચારે પાસ સખત ઘેરે ઘા. એક ચલિયું પણ અંદર પેસવા ન પામે એ એણે હિ. બંદોબસ્ત રાખ્યું હતું. પણ કિલ્લા પર જ હલ્લે કર્યા પહેલાં છેવટને સામ-ઉપાય લેવાના ઈરાદાથી એણે અંગદને વિષ્ટિ કરવા રવાના કર્યો. અંગદ રાવણ પાસે ગયે, તેને સમજાવ્યું, પણ એ અભિમાની રાજાએ કશુંયે માન્યું નહીં. ૬. રામે લંકા પર તૂટી પડવાની સૈન્યને આજ્ઞા આપી. બંને બાજુએ ભયંકર યુદ્ધ ચાલ્યું. એક પછી એક રાવણના વીરે પડવા લાગ્યા. છેવટે, કુંભકર્ણ પણ રામને હાથે પડ્યો. રાવણને જ્યેષ્ઠ પુત્ર ૧ જુઓ પાછળ નોંધ ૪ થી
SR No.005973
Book TitleRam ane Krishna
Original Sutra AuthorN/A
AuthorKishorlal Ghanshyamlal Mashruwala
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages152
LanguageGujarati
ClassificationInterfaith
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy