________________
યુદ્ધકાડ હવે રામે યુદ્ધને માટે વાનરસેના તૈયાર કરવા માંડી. રામેશ્વર આગળ વાનરેની છાવણીઓ પડી.
૨. આ બાજુ, રાવણ પણ રામ ચડાઈ લાવે તે શું કરવું તે વિષે વિચારમાં પડ્યો. એણે પિતાના ભાઈએ
અને મંત્રીઓની સભા ભરી. મંત્રીએ રાવણને યુદ્ધમંત્રણ
સ્વભાવ જાણતા હતા. અભિમાની અને સમૃદ્ધિ ભેગવનારા માણસે સલાહ માગે છે, પણ ખરી સલાહ સહન કરી શકતા નથી. પિતાની ભૂલ બતાવે એવી શિખામણ એમને રુચતી નથી. જે એમની હામાં હા ભેળવે, એમની ભલેને મુત્સદ્દીગીરી અને બળની નિશાની ઠરાવે, તે એમને સાચા સલાહકાર લાગે છે. મંત્રીઓએ રાવણને રુચે એવી જ સલાહ આપી. માણસ અને વાનરેથી રાક્ષસોને ડરવાની જરૂર નથી, માટે નિશ્ચિત્ત રહેવું, એમ રાવણનાં બળ અને પરાક્રમની ભાટાઈ કરી સમજાવ્યું. પણ રાવણના ભાઈ કુંભકર્ણ અને વિભીષણને આ સલાહ રુચી નહીં. એમણે સીતાના હરણને વખોડી કાઢયું, અને સીતાને પાછી સોંપી આખા દેશ પર આવનારી આફતને ટાળવા તથા વાચ્ય વર્તનને રસ્તે લેવા સમજાવ્યા. કુંભકર્ણ તે સલાહ આપી મૂંગે રહ્ય, ન માને તે ભાઈને જ પક્ષ રાખવે એ એને મત હતો. વિભીષણે વિશેષ આગ્રહ ધર્યો. એણે એટલા આગ્રહપૂર્વક રાવણને ઠપકે આયે, કે રાવણ એના ઉપર છંછેડાઈ ગયા અને કુળકલંક કહી એને તિરસ્કાર કર્યો.