SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ રામ. જાઉં છું. ભરત બરાબર પ્રજાને પાળે અને રાજાની સેવા કરે એ જેજે, કારણ કે એ જ આપણે સનાતન ધર્મ છે.” ૬. ત્યાંથી નીકળી રામ લાગલા જ કૌસલ્યાને મંદિરે ગયા અને બનેલી સર્વે હકીકત એને કહી. આવું અણધાર્યું સીતા અને , સંકટ આવવાથી કૌસલ્યાને જે દુઃખ થયું એ છે તેમાંથી એને શાંત કરવાં એ સહેલું નહોતું; પણ પ્રિય વચનથી રામે એમને ધીરજ આપી અને એમને આશીર્વાદ લઈએ સીતાની પાસે જઈ પહોંચ્યા. સીતાએ રામ સાથે વનમાં જવા આગ્રહ કર્યો. પતિના ભાગ્યમાં પત્ની તરીકે પિતાને અર્થે હિસ્સે ભેગવવાને એણે હક બતાવ્યું. રામ તેની વિનંતીને અસ્વીકાર કરી શક્યા નહીં, તેથી એમને પણ સાથે જવાનું ઠર્યું. લક્ષ્મણે પણ રામના સાથી થવા ઈચ્છા દર્શાવી. સુમિત્રાની આજ્ઞા લઈ તેમ કરવા રામે એને અનુમતિ આપી. વીરમાતા સુમિત્રાએ તરત જ રજા આપી અને કહ્યુંઃ “દીકરા, રામને દશરથને ઠેકાણે ગણજે, મારે ઠેકાણે સીતાને ગણજે અને અરયને અધ્યા માનજે.” ૭. પિતાની સર્વ સંપત્તિનું દાન કરી દઈ રામ, લક્ષ્મણ અને સીતા દશરથની છેલ્લી આજ્ઞા માગવા ગયાં. દશરથે સર્વ કુટુમ્બીઓ અને મંત્રીઓને પરિધાન ભેગાં કર્યો. થોડી વારમાં રામના વનવાસની વાત આખા શહેરમાં ફેલાઈ ગઈ અને અનેક નગરજનેની પણ રજવાડા આગળ ભીડ થઈ. કૈકેયીએ ત્રણેને માટે વહકલે લાવી મૂક્યાં. રામ અને લક્ષમણે એ વક
SR No.005973
Book TitleRam ane Krishna
Original Sutra AuthorN/A
AuthorKishorlal Ghanshyamlal Mashruwala
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages152
LanguageGujarati
ClassificationInterfaith
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy