SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ યુદ્ધપ ૧૦૧ અક્ષૌહિણી સૈન્ય ભેગું થયું; એટલે લગભગ ચાપન લાખ માણસો આ પિત્રાઈ એની લડાઈમાં એકબીજાના પ્રાણ લેવા આવ્યા. ૨. લડાઈ શરૂ કરતાં પહેલાં યુધિષ્ઠિરે ટંટાના નિકાલ સમાધાનીથી લાવવા માટે ઘણા પ્રયત્ન કર્યો. છેવટે, માત્ર પાંચ ગામ લઈ સતાષ માનવાની તૈયારી કૃષ્ણવિષ્ટિ બતાવી કૃષ્ણને વિષ્ટિ કરવા હસ્તિનાપુર માકલ્યા. કૃષ્ણે તથા વિદુરે ધૃતરાષ્ટ્ર તથા દુર્યોધનને ઘણું ઘણું સમજાવ્યા, ભીષ્મે પણ કૃષ્ણને ટેકે આખે, પણ દુર્થાંને ગભર્યો ઉત્તર વાળ્યેા કે એક સાય ઊભી રહે એટલી જમીન પણ પાંડવાને મળશે નહી. સર્વ અનર્થાંનું કારણ દુર્થાંધન છે એમ વિચારી કૃષ્ણે ધૃતરાષ્ટ્રને દુર્ગંધનને કેદ કરવા સલાહ આપી. પણ માહવશ પિતાથી તે થઈ શકયુ નહીં. ઊલટું, દુČધને કૃષ્ણને કેદ કરવા પ્રયત્ન કર્યાં. પણ કૃષ્ણ ચતુરાઈથી છટકી ગયા. “ ૩. વિષ્ટિ માટેની આ મુલાકાત વખતે દુર્ગંધને શિષ્ટાચાર પ્રમાણે કૃષ્ણને રાજમહેલમાં રહેવા આમંત્રણ આપ્યું હતું; પણ કૃષ્ણ દુર્યોધનના ભાવરહિત આતિથ્યના લાલચુ ન હતા. એમણે કહ્યું : “ માણુસ એ કારણથી બીજાનું જમેઃ પેાતાને ખાવા ન મળે માટે, અથવા બીજાના પ્રેમને લીધે. મને ખાવાની આપત્તિ આવી નથી, અને તારા આમંત્રણ પાછળ પ્રેમ નથી. હું તારે ત્યાં કેમ જપું?'' ૧. ધૃતરાષ્ટ્રના સાવકા ભાઈ, પણુ દાસીપુત્ર.
SR No.005973
Book TitleRam ane Krishna
Original Sutra AuthorN/A
AuthorKishorlal Ghanshyamlal Mashruwala
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages152
LanguageGujarati
ClassificationInterfaith
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy