SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ઘતપર્વ વનને રસ્તે પડ્યાં. વૃદ્ધ કુન્તી વિદુરને ઘેર રહી અને પાંડની ઇતર સ્ત્રીઓને પોતપોતાને પિયર જવું પડ્યું. ૫. શાસ્ત્ર સાથેની લડાઈમાંથી નિવૃત્ત થઈ દ્વારિકા પાછા ફરતાં પાંડની વિપત્તિની હકીક્ત કૃષ્ણના જાણવામાં આવી. વસુદેવ, બળરામ વગેરે યાદવ સાથે એ પાંડવોને અરયમાં જઈ મળ્યા અને મુલાકાત એમનું સાંત્વન કર્યું. દ્રૌપદીએ કૃષ્ણ આગળ અતિશય કલાન્ત કર્યું. એને થયેલા અપમાનની હકીકત સાંભળી કૃષ્ણ ખડે રેશમાં પ્રતિજ્ઞા કરી કે, “જેમના ઉપર તું ગ્ય કારણસર કુદ્ધ થઈ છે તેમની સ્ત્રીઓ આ પ્રમાણે ડૂસકે ડૂસકે રડશે અને તે સર્વ રાજાઓની મહારાજ્ઞી થઈશ.” દ. જે વખતે પાંડવે બાર વર્ષ વનવાસમાં અને એક વર્ષ અજ્ઞાતવાસમાં કાઢી રહ્યા હતા, તે સમયે કૃષ્ણ તત્ત્વ જ્ઞાનના ચિંતનમાં અને ગાભ્યાસમાં ગાજે. કૃષ્ણનું ઘર આંગિરસ પાસેથી તેમણે આત્મજ્ઞાનને તત્વચિંતન ને ઉપદેશ લીધે. જુદા જુદા મતાનું અને તત્ત્વનું યોગાભ્યાસ સંપૂર્ણ મનન કર્યું. નાનપણમાં મલશ્રેષ્ઠ અને - તરુણપણે ધનુર્ધારશ્રેષ્ઠ આવી એમની કીર્તિ હતી. હવે તે યેગી પણ થયા. એમનું વય વનવાસની શરૂઆતમાં આશરે ૭૦ વર્ષનું હતું. હવે તે ૮૩ વર્ષના થયા હતા. 1. પાછળ જુઓ નોંધ મી.
SR No.005973
Book TitleRam ane Krishna
Original Sutra AuthorN/A
AuthorKishorlal Ghanshyamlal Mashruwala
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages152
LanguageGujarati
ClassificationInterfaith
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy