________________
ગીતા અને કુરાન કર્મ ન કરવા વિષે પણ તને આગ્રહ ન હજો. આસક્તિ છેડી યોગસ્થ રહી એટલે કે સફળતા-નિષ્ફળતાને વિષે સમાન ભાવ રાખી તું કર્મ કર. સમતા એ જ યોગ કહેવાય છે (૨, ૪૭, ૪૮). કુરાન ભાખે છેઃ
“પિતાના પાલનક્ત અલ્લાહનું નામ સ્મરે અને અન્ય સર્વ વસ્તુઓને મેહ છેડીને એનામાં જ ચિત્ત ચુંટાડે ” (મુજમ્બિલ-૮).
તફસીર કબીર’ નામના કુરાનના મહાભાષ્યમાં ઈમામ રાજીએ ઉપરના સૂત્રનું વિવરણ કરતાં લખ્યું છેઃ
“જે માનવી પિતાનાં રૂડાં કામને બદલે ઇચ્છે છે અથવા તો ખરાબ કર્મોની સજાથી બચવા ચાહે છે તે નિર્મોહી ન કહેવાય. અને જે પૂજાપાઠમાં મંડયો રહે અથવા તે જ્ઞાનની ઈચ્છા રાખે તે પણ કેવળ પ્રભુનું જ ધ્યાન ધરી બેઠેલે ન કહેવાય. હા પણ જેનાં પૂજાપાઠ અથવા જેનાં સર્વ કામ પિતા માટે તો નહીં જ પરંતુ પ્રભુ માટે જ છે તેને જ આ સૂત્ર અનુસાર ઈશ્વરમાં મન પરોવી રાખનાર કહી શકાય.” ગીતા કથે છેઃ
કમફલને આશ્રય લીધા વિના જે મનુષ્ય વિહિત કર્મ કરે છે તે સંન્યાસી છે, તે યોગી છે; જે અગ્નિને અને ક્રિયામાત્રને ત્યાગ કરીને બેસે છે તે નહીં” (૬, ૧). મુસ્લિમ વિદ્વાન સુફિયાન સૌરીએ લખ્યું છે ?
જાડાં કપડાં પહેરવાં કે લૂખે ટલે ખાવો તેને ત્યાગનું નામ ન અપાય. ત્યાગ તો તે વસ્તુ છે કે જેથી પોતાની ઈચ્છાઓને તથા કામનાઓને જીતી લેવાય” (શાહુલ મિત્રત).