________________
૨૨૮
ગીતા અને કુરાન કુરાનને પ્રચાર કરે અને સમજાવે. આ વિષે મહંમદ અલીએ લખ્યું છેઃ
“આથી સ્પષ્ટ થાય છે કે “જિહાદ” શબ્દ કયા અર્થમાં કુરાનમાં વપરાય છે. આ વાત સૌ સ્વીકારે છે કે આ સૂરા મકકાના અરસાની છે કે જેને લડાઈ સાથે કાંઈ પણ સંબંધ નથી. આ આયત પ્રમાણે સત્યને પ્રચાર કરવાને જે યત્ન કરવામાં આવે તે માત્ર “જિહાદ નહીં પરંતુ “કબીર' (ભારે) એટલે કે “બડા જિહાદ” છે...કુરાનના સર્વ ભાષ્યકારે બૈજાવી, ઈમામ અસીરુદ્દીન, અબુ ધ્યાન વગેરે-“જિહાદ” નો આ જ અર્થ કરે છે.”*
જેઓ શત્રુઓના કેરથી બચવા માટે ક્યાંક બીજે ઠેકાણે ભાગી જાય પરંતુ સત્ય ન છોડે તથા વૈર્ય રાખે અને સ્વધર્મનું પાલન કરતા રહે તેમના આ કાર્યને કુરાને “જિહાદ” કહી છે. (૧૬–૧૧૦) આ પ્રમાણે દાન દેવું, અનાથને પાળવા, અન્યને સહાય કરવી, આપત્તિ સહેવી, આ સર્વને ઈશ્વરપ્રીત્યર્થે “જિહાદ” કહેવાયાં છે. મહંમદ સાહેબની એક કથા છે કે “ સૌથી મોટી જિહાદ (પ્રયત્ન) પિતાની વૃત્તિઓ ઉપર કાબૂ મેળવવાની છે એટલે કે પિતાના ક્રોધને તથા વાસનાઓને જીતવાં. આને મુસલમાન ગ્રંથોમાં “જિહાદ અકબર” એટલે કે સૌથી મોટી “જેહાદ” કહેવાઈ છે.
પ્રાર્થના કરવી (નમાજ), ઉપવાસ કરવા, દાન દેવું વગેરે ધર્મકાર્યોમાં વધારે સમય આપવાને, શ્રમ કરવાને મુજાહદા” કહેવાય છે.
* કુરાન-મૌલવી મહંમદઅલી, પૃ. ૭૨૧