________________
દુનિયાના સર્વ ધર્મો એક છે ડીઘણી ઝાંખી કરવાનો દાવો કર્યો છે. બૌદ્ધ ધર્મ અથવા એવા બીજા ધર્મો કે જેને વિષે એમ મનાય છે કે તેઓ આ દુનિયાને કઈ સટ્ટા છે એમ માનતા નથી તેઓ પણ સિદ્ધ, અરહંત અથવા બુદ્ધ (પ્રકાશિત) એવા કેઈ ને કેઈ રૂપમાં સર્વ મર્યાદાઓની તથા અશક્તિઓની ઉપર પૂર્ણ આત્મા, પરમ આત્મા, સર્વ આત્માને તો માને છે. પૂર્ણતાને પહોંચવાની કોશિશ કરવી તે જ મનુષ્યને ધર્મ તથા તેની ફરજ છે એમ બતાવે છે ને ત્યાં સુધી પહોંચવા માટે પાપકાર, સદાચાર અને સૌની સાથે ભાઈચારે રાખવાનું ખાસ જરૂરી ગણાવે છે. પરિણામ એ આવે છે કે આપણે એને કઈ પણ મનગમતા નામે ઓળખીએ છીએ – ભગવાન, ઈશ્વર, પરમાત્મા, ખુદા, અલ્લાહ, અથવા ગેડ, માત્ર એક પરમેશ્વરને માનવ, તેને જ સૌનો એકસરખે પાલણહાર લેખ, તેના સેવકરૂપે સૌ મનુષ્યને પિતાના ભાઈ માનવા, અને સૌની સાથે મેળ, પ્રેમ તથા પરોપકારથી વર્તવું એ જ આ દુનિયાના સર્વ ધર્મોને સાર છે.
એ પણ નિઃસંદેહ છે કે દુનિયાના સર્વે મોટા મોટા ધએ આ પૃથ્વીના કડે મનુષ્યને સેંકડો તથા હજારો વર્ષો સુધી સાચે રહે વાન્યા છે. આજ સુધી કરેડો માનવીએનાં હૃદય તથા મનને, એમના આત્માને સુખ તથા શાન્તિ દેનાર ચીજ ધર્મ કરતાં બીજી નથી મળી આવી. મનુષ્ય મનુષ્યમાં પ્રેમ પેદા કરનાર ધર્મ સિવાય અન્ય કોઈ તાકાત જગતમાં મળી આવતી નથી.