________________
s
ગીતા અને કુરાન જેઓ અણસમજ ભૂલથી બૂરાં કર્મો કરે છે ને તેને પશ્ચાત્તાપ કરે છે તથા પિતાને સુધારે છે તેને ઈશ્વર ક્ષમા આપે છે અને તેમના ઉપર દયા દાખવે છે” (૧૬ – ૧૧૯).
જે પાપ કરે છે અથવા તે પિતાના આત્માને છેતરે છે પરંતુ પાછળથી પરમાત્માની ક્ષમા માગે છે તે ક્ષમાગ્ય તથા દયાપાત્ર લેખાય છે.
જે પાપ કરે છે, પોતાના આત્માની વિરુદ્ધ વર્તે છે; ઈશ્વર આ સર્વ જાણે છે.
“જે કોઈ પિતે દુષ્કર્મો કરે છે ને ગુનેગાર બને છે, પરંતુ પિતાને દોષ બીજા ઉપર ઓઢાડે છે, તે પિતા ઉપર ભારે તહેમત વહેરી લે છે, તે મહાપાપી બને છે” (૪ - ૧૧૦ થી ૧૧૨).
પાપ કર્યા પછી જે પસ્તાય છે તથા પિતાને સુધારે છે તેના ઉપર ઈશ્વર દયા વરસાવે છે; કારણ કે ઈશ્વર માફી બક્ષનાર તથા દયાળુ છે” (૫-૩૯).
“આ નિઃસંદેહ વાત છે કે જે પિતાનાં પૂર્વ કાળનાં દુષ્કર્મોનું પ્રાયશ્ચિત કરે છે, હવે પછી સીધે રસ્તે ચાલવા લાગે છે તથા સત્કર્મો કરે છે તેને ઈશ્વર ક્ષમા આપે છે” (૨૦–૮૨).
“જનસાધારણ એમ કહે છે કે મનુષ્યની સાથે ભલાઈ કરતાં પહેલાં તેને તેનાં પાપોને બદલે મળવો જોઈએ અને એમાં શક નથી કે પાપીઓને પિતાનાં પાપની સજા ભોગવવી પડે છે જેથી બીજાઓ ચેતતા રહે; પણ એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે તમારે અલ્લાહ ઇન્સાનેને માફી બક્ષનાર ઈશ્વર છે. જેઓ દેષ કરીને પોતાના આત્માની વિડંબના કરે છે તેને પણ ઈશ્વર માફી આપે છે અને આ વાત પણ સાચી છે કે ઈશ્વર બદલો લેવામાં પણ રેપૂરે છે (૧૩-૬).”