________________
ગીતા હિન્દુઓ જે ગ્રંથને પિતાના ધર્મગ્રંથ માને છે તેની સંખ્યા હજારની નહીં તે સેંકડોની તે સહેજે ગણવી શકાય. દુનિયાના વર્તમાન ધર્મોમાં બીજા કોઈ ધર્મોના ભાગ્યે જ આટલા બધા ધર્મગ્રંથ હશે. એ સ્વાભાવિક છે. આમ તે દુનિયાના સર્વ ધર્મો એકમેકને મળતા હોય છે અને એક જ સનાતન પરંપરાના ભાગ, એક પુરાણ સાંકળની કડીઓ, અથવા એક જ મહાવૃક્ષની ચારે તરફ પથરાયેલી શાખાએનાં ફૂલ સમાન છે. પરંતુ જુદા જુદા દેશોની પરંપરાઓ જોઈએ તે હિંદુ પરંપરા દુનિયામાં સૌથી પુરાણું છે. યહૂદી પરંપરા તે પછીની છે; ચીની પરંપરા પણ અમારી જાણ પ્રમાણે એથી જૂની નથી. એ સિવાય ચીની ધમેં બે અઢી હજાર વર્ષ પહેલાં જે ભારે પલટે ખાધે તે પલટે હિંદુ પરંપરાએ કદી નથી ખાધે અથવા તે ખાતાં ખાતાં રહી ગઈ એમ કહેવું જોઈએ.
માનવ ઈતિહાસ હિંદુસ્તાન તથા ચીનથી ઘણે જૂને છે. હિંદુસ્તાન તથા ચીનની સંસ્કૃતિઓથીયે હજારો વર્ષો પહેલાં કેટલાયે વિખ્યાત સમાજો અસ્તિત્વમાં હતા અને ઉન્નતિશિખરે તેઓ પોંચ્યા હતા. પૃથ્વીના લખેલા કે અણલખ્યા ઈતિહાસથી એ સિદ્ધ થાય છે કે એક તરફ ઈરાનના પહાડેથી તે અરબી સમુદ્ર તથા હિન્દી મહાસાગર સુધી તથા બીજી બાજુ આફ્રિકાની નીલ નદીને કિનારે