________________
८
છે.૪ પૈશાચ વિવાહમાં પણ કન્યા ઊંધતી હાય, ઘેનમાં હોય તેને ગમે તે રીતે ઉપાડી લાવવામાં આવે છે.પ આમ આપણી વિવાહ સંસ્થામાં મૂળે તે કન્યાને મિલકત ગણવામાં આવી છે. અત્યારે પણુ પછાત કામમાં આ રીતે જ કન્યાઓની વેચલે થાય છે. એટલે કન્યા એ જીવતું સેાનું જ રહ્યું છે. કન્યાનેય સમાજમાં છીનવી લાવવાની અને સેનુ પણ છીનવી લાવવાનું. હા, સુધારેલા સમાજમાં એ છીનવી લાવવાના પ્રકાર વહેવારુ પ્રકારના અને પરંપરાથી રૂઢ થઈ ગયેલા છે એટલે માણસને તેની પાછળનું સત્ય દેખાતું નથી. આ રીતે—
:
સાનું અને સ્ત્રી : કંચન અને કામિની એ ખન્નેય અત્યાર સુધીના સમાજના ઇતિહાસમાં માણસની મિલકત જ રહ્યાં છે. ઉદારતા અને ઉચ્ચ વિચારણાના ગમે તેટલા થપેડા તેના ઉપર લગાવવામાં આવે છતાં પણ એ વાત પુરુષપ્રધાન સંસ્કૃતિમાં જીવતી અને જાગતી છે એની ના પાડી શકાય તેમ નથી.
સાથે સાથે માણસ વિચારશીલ છે. પાતાને અમુક સારું લાગે તે ખીજા જીવન્ત પ્રાણીને સારું લાગે એવું પાતે કરવું જોઈ એ; પેાતાની જાતને જેથી દુઃખ થાય એવું પારકા ઉપર આચરવું ન જોઈ એ એમ તે માને છે. જેટલી કડકાઇથી આપણે મિલકત સાચવીએ છીએ, તેટલી કડકાઈથી સ્ત્રીને સાચવવાનુ` મોટા ભાગનાં મનુષ્યાનાં
૪. મનુસ્મૃતિ. અ. ૩. ક્ષેા. કુક. રાક્ષસ વિવાહ.
हत्वा छित्त्वा च भित्त्वा च क्रोशन्तीं रुदतीं गृहात् । प्रसह्य कन्याहरणं राक्षसे विधिरुच्यते ॥
૫. મનુસ્મૃતિ. અ. ૩. ક્ષેા. ૩૪. પશાચ વિવાહ,
सुप्तां मत्तां प्रमत्तां वा रहो यत्रोपगच्छति स पापिष्ठो विवाहानां पैशाचश्चाष्टमोऽधमः ॥