________________
પાપને પિકાર
ર૪૩
પણ કાન્તા તે ન ખસી. “સાહેબ ! મારે જવું ક્યાં ?” “બાઈ! મારે ત્યાં રહીશ ?” એક ગૃહસ્થ આગળ આવ્યા. માફ કરજે. તમારે શે વિશ્વાસ?”
બાઈ! મારું નામ તનસુખ. તારે પુરાણો પાડોશી, વગર પાપે ફજેત થયેલું. મારે એક પુત્રી છે. બીજું તમે.”
કાન્તા રડી પડી. તસુખની પુત્રી જયા આવી કાન્તાને લઈ ગઈ. હું કેદમાં જવા તૈયાર થઈ રહ્યો હતે.
બે વર્ષ વીતી ગયાં ને છૂટયો, પણ પેલાં પાપનાં શમણાં હજી નથી છૂટયાં. કોલેરાએ પત્નીને ઝડપી લીધી છે. ક્રૂર કાળે મને કર્યો કર્મની સજા ભોગવવા જીવતો રાખ્યો છે.
સમાજમાં સ્ત્રીઓનું સ્થાન સ્થાપવાની કોશિશમાં હવે જીવી રહ્યો છું, પણ મારે કોઈ પડછાયો પણ લેતું નથી. - કાન્તા આજે સ્ત્રીઓ માટે દેવદૂત બનીને જીવી રહી છે. એણે સ્ત્રીઓમાં નવજીવન રેડયું છે. પહેલાં સ્ત્રીની સામાન્ય ભૂલ એટલે એના કીમતી જીવનની સમાપ્તિ–એ વાત દૂર કરી છે. ભૂલેલાને માર્ગ બતાવી, સમાર્ગે વાળનારી એ સંજીવની બની છે. એણે મને માફી આપી છે. પણ એ માફીએ મારા અંતરને વધુ શેકભર્યું બનાવ્યું છે. આ જીવન મૃત્યુ કરતાં વધારે કઠોર લાગી રહ્યું છે.
–ને એકાગ્ર ચિત્તે મૃત્યુની રાહ જોતે બેસી રહ્યો છું.