SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૫ શાતા-અશાતા તેમ જ કાર્મણ શરીર પણ છે; જે તેજસ કરતાં સૂક્ષ્મ છે, તે પણ તેજસની માફક રહે છે. સ્થૂલ શરીરની અંદર પીડા થાય છે, અથવા ક્રોધાદિ થાય છે તે જ કાર્મણ શરીર છે. કાર્મણથી ક્રોધાદિ થઇ તેજોલેશ્યાદિ ઉત્પન્ન થાય છે. વેદનાનો અનુભવ જીવ કરે છે, પરંતુ વેદના થવી તે કાર્મણ શરીરને લઈને થાય છે. કાર્પણ શરીર એ જીવનું અવલંબન છે. (પૃ. ૭૫૫-૬). 2 કાંતિ, દીપ્તિ, શરીરનું વળવું, ખોરાકનું પાચન થવું, લોહીનું ફરવું, ઉપરના પ્રદેશોનું નીચે આવવું, નીચેનાનું ઉપર જવું (વિશેષ કારણથી સમુદ્ધાતાદિ), રતાશ, તાવ આવવો એ બધી તેજસ્ પરમાણુની ક્રિયાઓ છે. તેમજ સામાન્ય રીતે આત્માના પ્રદેશો ઊંચાનીચા થયા કરે એટલે કંપાયમાન રહે તે પણ તેજસ્ પરમાણુથી. કાર્મણશરીર તે જ સ્થળે આત્મપ્રદેશોને પોતાના આવરણના સ્વભાવ બતાવે. (પૃ. ૭૭૭) I એક દેહ ત્યાગી બીજો દેહ ધારણ કરતી વખતે કોઈ જીવ જયારે વાટે વહેતો હોય છે ત્યારે અથવા અપર્યાપ્તપણે માત્ર તેને તૈજસ અને કાર્મણ એ બે શરીર હોય છે; બાકી સર્વ સ્થિતિમાં એટલે સકર્મ સ્થિતિમાં સર્વ જીવને ત્રણ શરીરનો સંભવ શ્રી જિને કહ્યો છે : કાર્મણ, તૈજસુ અને ઔદારિક કે વૈક્રિય એ બેમાંનું કોઇ એક. ફકત વાટે વહેતા જીવને કાશ્મણ તૈજસ્ એ બે શરીર હોય છે; અથવા અપર્યાપ્ત સ્થિતિ જીવની જયાં સુધી છે, ત્યાં સુધીમાં તેને કાશ્મણ, તૈજસ્ શરીરથી નિર્વાહ થઈ શકે, પણ પર્યાપ્ત સ્થિતિમાં તેને ત્રીજા શરીરનો નિયમિત સંભવ છે. પર્યાપ્ત સ્થિતિનું લક્ષણ એ છે કે, આહારાદિનું ગ્રહણ કરવારૂપ બરાબર સામર્થ્ય અને એ આહારાદિનું કંઈ પણ ગ્રહણ છે તે ત્રીજા શરીરનો પ્રારંભ છે, અર્થાત્ તે જ ત્રીજું શરીર શરૂ થયું, એમ સમજવા યોગ્ય છે. (પૃ.૪૧૩). શંકા D “આ તો આમ નહીં, આમ હશે એવો જે ભાવ તે “શંકા'. (પૃ. ૭૦૫) D ખોટી ભ્રાંતિ થાય તે શંકા. (પૃ. ૭૦૬) D તને તારું હોવાપણું માનવામાં ક્યાં શંકા છે? શંકા હોય તો તે ખરી પણ નથી. (પૃ. ૨૩૪). જ્ઞાનીપુરુષ બધી શંકાઓ ટાળી શકે છે; પણ તરવાનું કારણ સત્યરુષની દ્રષ્ટિએ ચાલવું તે છે; અને તો જ * દુઃખ મટે. (પૃ. ૭૧૩) | શાતા-અશાતા D જેને શાતા અશાતા બન્ને સમાન છે તેને સહજસમાધિ કહી. (પૃ. ૭૨૧). 0 અશાતાનો ઉદય ન હોય ત્યારે કામ કરી લેવું એમ જ્ઞાની પુરુષોએ જીવનું અસામર્થ્યવાનપણું જોઈને કહેલું છે; કે જેથી તેનો ઉદય આવ્યે ચળે નહીં. (પૃ. ૭૮૫) અશાતાના ઉદયમાં જ્ઞાનની કસોટી થાય છે. (પૃ. ૭૬૯). યથાર્થ જોઇએ તો શરીર એ જ વેદનાની મૂર્તિ છે. સમયે સમયે જીવ તે દ્વારાએ વેદના જ વેદે છે. કવચિત્ શાતા અને પ્રાયે અશાતા જ વેદે છે. માનસિક અશાતાનું મુખ્યપણું છતાં તે સૂક્ષ્મ સમ્યફષ્ટિવાનને જણાય છે. શારીરિક અશાતાનું મુખ્યપણું સ્થૂળ દૃષ્ટિવાનને પણ જણાય છે. (પૃ. ૬૫૦)
SR No.005966
Book TitleShrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Original Sutra AuthorN/A
AuthorSaroj Jaysinh
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year2000
Total Pages882
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy