________________
મોક્ષ (ચાલુ)
૪૬૦. T મોક્ષ તો આ કાળને વિષે પણ પ્રાપ્ત હોય, અથવા પ્રાપ્ત થાય છે. પણ મુક્તપણાનું દાન આપનાર એવા
પુરુષની પ્રાપ્તિ પરમ દુર્લભ છે; અર્થાત્ મોક્ષ દુર્લભ નથી, દાતા દુર્લભ છે. (પૃ. ૩૩૪) D “જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ' નામના જૈનસૂત્રમાં એમ કહ્યું છે કે આ કાળમાં મોક્ષ નથી. આ ઉપરથી એમ ન
સમજવું કે મિથ્યાત્વનું ટળવું, અને તે મિથ્યાત્વ ટળવારૂપ મોક્ષ નથી. મિથ્યાત્વ ટળવારૂપ મોક્ષ છે; પણ. સર્વથા એટલે આત્યંતિક દેહરહિત મોક્ષ નથી. આ ઉપરથી એમ કહી શકાય કે સર્વ પ્રકારનું કેવળજ્ઞાન હોય નહીં, બાકી સમ્યક્ત્વ હોય નહીં, એમ હોય નહીં. આ કાળમાં મોક્ષના નહીં હોવાપણાની આવી
વાતો કોઈ કહે તે સાંભળવી નહીં. (પૃ. ૭૨૦) I શાસ્ત્રમાં આ કાળમાં મોક્ષનો સાવ નિષેધ નથી. જેમ આગગાડીનો રસ્તો છે તેની મારફતે વહેલા
જવાય, ને પગરસ્તે મોડા જવાય, તેમ આ કાળમાં મોક્ષનો રસ્તો પગરસ્તા જેવો હોય તો તેથી ન પહોંચાય એમ કાંઈ નથી. વહેલા ચાલે તો વહેલા જવાય, કાંઈ રસ્તો બંધ નથી. આ રીતે મોક્ષમાર્ગ છે તેનો નાશ નથી. (પૃ. ૭૨ ૧-૨) આ કાળને વિષે મોક્ષ નથી એમ માની જીવ મોહેતુભૂત ક્રિયા કરી શકતો નથી, અને તેવી માન્યતાને લઇને જીવનું પ્રવર્તન બીજી જ રીતે થાય છે. પાંજરામાં પૂરેલો સિંહ પાંજરાથી પ્રત્યક્ષ જુદો છે, તોપણ બહાર નીકળવાનું સામર્થ્યરહિત છે. તેમ જ ઓછા આયુષ્યના કારણથી અથવા સંઘયણાદિ અન્ય સાધનોના અભાવે આત્મારૂપી સિંહ કર્મરૂપી પાંજરામાંથી બહાર આવી શકતો નથી એમ માનવામાં આવે તો તે માનવું કારણ છે. (પૃ. ૭૩૭) અમુક આચાર્ય એમ કહે છે કે દિગંબરના આચાર્ય એમ સ્વીકાર્યું છે કે - “જીવનો મોક્ષ થતો નથી, પરંતુ મોક્ષ સમજાય છે; તે એવી રીતે કે જીવ શુદ્ધસ્વરૂપ છે; તેને બંધ થયો નથી તો પછી મોક્ષ થવાપણું કયાં રહે છે? પરંતુ તેણે માનેલું છે કે હું બંધાણો છું તે માનવાપણું વિચારવડીએ કરી સમજાય છે કે મને બંધન નથી, માત્ર માન્યું હતું; તે માનવાપણું શુદ્ધ સ્વરૂપ સમજાયાથી રહેતું નથી; અર્થાત્ મોક્ષ સમજાય છે.” આ વાત “શુદ્ધનય”ની અથવા “નિશ્ચયનયની છે. પર્યાયાર્થી નયવાળાઓ એ નયને વળગી
આચરણ કરે તો તેને રખડી મરવાનું છે. (પૃ. ૭૪૫). | સંબંધિત શિર્ષકો : નિર્વાણ, મુક્તિ મોક્ષઉપાય D તારા (શિષ્યના) આત્માને વિષે પ્રતીતિ થઈ છે, તો મોક્ષના ઉપાયની પણ એ જ રીતે તને સહજમાં
પ્રતીતિ થશે. અત્રે થશે’ અને ‘સહજ’ એ બે શબ્દ સદ્ગુરુએ કહ્યા છે તે જેને પાંચે પદની (આત્મા છે, નિત્ય છે, કર્મનો કર્તા છે, કર્મનો ભોક્તા છે અને મોક્ષ છે) શંકા નિવૃત્ત થઈ છે તેને મોક્ષોપાય સમજાવો કંઈ કઠણ જ નથી એમ દર્શાવવા, તથા શિષ્યનું વિશેષ જિજ્ઞાસુપણું જાણી અવશ્ય તેને મોક્ષોપાય પરિણમશે એમ ભાસવાથી (તે વચન) કહ્યાં છે; એમ સદ્ગુરુનાં વચનનો આશય છે. કર્મભાવ છે તે જીવનું અજ્ઞાન છે અને મોક્ષભાવ છે તે જીવના પોતાના સ્વરૂપને વિષે સ્થિતિ થવી તે છે. અજ્ઞાનનો સ્વભાવ અંધકાર જેવો છે. તેથી જેમ પ્રકાશ થતાં ઘણા કાળનો અંધકાર છતાં નાશ પામે છે, તેમ જ્ઞાનપ્રકાશ થતાં અજ્ઞાન પણ નાશ પામે છે. જે જે કારણો કર્મબંધનાં છે, તે તે કર્મબંધનો માર્ગ છે; અને તે તે કારણોને છેદે એવી જે દશા છે તે મોક્ષનો માર્ગ છે, ભવનો અંત છે.