________________ કે નવધા ભક્તિ . “હે અન!: ન તો વેદોથી, ન તપથી, ન દાનથી અને ન યજ્ઞથી આ પ્રમાણે ચતુર્ભુજ રૂપવાળો હું જે તે મને જે છે તે જોઈ શકાતો નથી. પરંતુ હે શ્રેષ્ઠ તપવાળા અન! અનન્ય ભક્તિ કરવાથી તે આ પ્રમાણે ચતુર્ભુજ રૂપવાળો હું પ્રત્યક્ષ જોવા માટે તથા તત્ત્વથી જાણવા માટે તથા પ્રવેશ કરવા માટે અર્થાત એકી ભાવે પ્રાપ્ત થવી પણ શક્ય છું. ભક્ત કાકભુશું ડિજી કહે છે કે : * રામ-ભગતિ-ચિતામનિ સુંદર, બસ ગરૂડ જાકે ઉર અંતર; પરમ પ્રકાસરૂપ દિન રાતી, નહિ કછુ ચહિય દિયા ધૃત બાતી. મેહ દરિદ્ર નિકટ નહિ આવા લોભ-બાત નહિ તાહિ બુઝાવા; પ્રબલ અવિદ્યા તમ મિટ જાઈ. હારહિ સકલ સલભ સમુદાય. ખલ ક્રમાદિ નિકટ નહિ જાહી, બસઈ ભગતિ જાકે ઉરમાંહીં; ગરલ સુધાસમ અરિ હિત હોઈ, તેહિ મનિ બિન સુખ પાવનકોઈ. વ્યાપહિં માનસ રોગ ન ભારી, જિલ્પક બસ સબ જીવ દુખારી. રામ ભગતિમનિ ઉર બસ જાકે, દુઃખ લવલેસન સપનેહું તાકે, - ચતુર સિરોમનિ તે જગ માહીં, જે મનિ લાગી સુજતન કરાહીં - તેથી બધા ભેંકોએ ઉપરોક્ત સર્વ પ્રકારે ભગવાનની ભક્તિનાં આશ્રય લઈને જીવન અને જન્મને સફળ કરવાં જોઈએ.