SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ નવધા ભક્તિ. स्वत्पादपोतेन महत्कृतेन कुर्वन्ति गोवत्सपदं भवाब्धिम् ॥ ( માવતo ૦-૨, શ્૰ ) ‘હે કમલનયન! કેટલાયે સંતો સંપૂર્ણ સત્ત્વના ધામ તમારામાં સમાધિ વડે પોતાનું ચિત્તા તલ્લીન કરીને મહાત્માઓએ અનુભવેલાં તમારાં ચરણકમળાનું વહાણુ ખનાવીને સંસારસાગરને ઘણી સહેલાઈથી તરી ગયા છે. ' ૩૮ ભગવાનની ચરણરજતે શરણે થયેલા પ્રેમી ભકત તો સ્વર્ગ વગેરેની વાત જ શું, મેક્ષનો પણ તિરસ્કાર કરીને ચરણરજતા સેવનમાં જ મસ્ત રહેવા ઈચ્છે છે. નાગપત્નીઓ કહે છે કે न नाकपृष्ठं न च सार्वभौमं न पारमेष्ठ्यं न रसाधिपत्यम् । न योगसिद्धीर पुनर्भवं वा वाञ्छन्ति यत्पादरजः प्रपन्नाः ॥ ( માપવત ૨૦-૨૬, ૨૭ ) ‘આપની ચરણરજનું શરણ લેનારા ભકતો નથી તો સ્વર્ગ ઈચ્છતા, નથી તો ચક્રવર્તીપદ, બ્રહ્મપદ, સમસ્ત પૃથ્વીનું સ્વામિત્વ કે યોગસિદ્ધિઓ ઇચ્છતા; વધારે શું કહેવું? તેઓ મેક્ષપદની પણ ઇચ્છા કરતાં નથી.' ભગવાનની માત્ર પાદસેવન ભકિતથી જ ભગવાનનો અનન્ય પ્રેમ પ્રાપ્ત કરનારા અનેક ભકતોનું શાસ્ત્રોમાં વર્ણન આવે છે. તેથી ભગવાનનાં પવિત્ર ચરણોમાં શ્રદ્ધાપૂર્વક મન જોડીને તેમનું નિત્ય સેવન કરવું જોઈએ.
SR No.005963
Book TitleNavdha Bhakti
Original Sutra AuthorN/A
AuthorJaydayal Goyandka
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1977
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy