SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ નવધા ભક્તિ આ કીર્તન ભકિતથી, પહેલાંના સમયમાં ઘણા તરી ગયા છે. ઇતિહાસ અને પુરાણોમાં અને રામાયણમાં પણ દૃષ્ટાંત મળી આવે છે. ભગવાનના નામ અને ગુણોના કીર્તનના પ્રતાપથી પહેલાંના સમયમાં નારદ, વાલ્મીકિ, શુકદેવ વગેરે તથા અર્વાચીન સમયમાં ગૌરાંગ મહાપ્રભુ, તુલસીદાસ, સુરદાસ, નાનક, તુકારામ, નરસિંહ, મીરાંબાઈ વગેરે અનેક ભકતો પરમ પદ પામ્યા છે. તેમના જીવનને ઈતિહાસ પ્રખ્યાત જે છે. પરમ ભકતોની વાત જવા દો, જેઓ મહાપાપી હતા તેઓ પણ તરી ગયા છે. શ્રીગોસ્વામી તુલસીદાસજીએ કહ્યું છે કે— અપર અજામિલ ગજ ગનિકાઊ, ભયે મુકત હરિનામ પ્રભાઊ. તેથી જેમ વાદળને જોઈને પપૈયે પાણીને માટે પી પી કરે છે, તે જ પ્રમાણે ભગવાનમાં પરમ પ્રેમ થવાને માટે અને ભગવાનની પ્રાપ્તિ માટે ભગવાનનાં નામ અને ગુણનું કીર્તન કરવાનો હમેશાં તત્પર થઈને સતત પ્રયત્ન કરવો જોઈએ.
SR No.005963
Book TitleNavdha Bhakti
Original Sutra AuthorN/A
AuthorJaydayal Goyandka
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1977
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy