SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ કીર્તન | * * * - - - - - ઉપરોક્ત કીર્તન ભક્તિ પ્રાપ્ત કરીને સૌને ભગવાનમાં અનન્ય પ્રેમ થઈને તેમની પ્રાપ્તિ થાય, એ ઉદ્દેશથી સંસારમાં એનો પ્રચાર કરવો, એ એનું પ્રયોજન છે. કીર્તન ભકિત પણ ઈશ્વર ને મહાપુરુષોની કૃપાથી જ પ્રાપ્ત થાય છે. તેથી આ બાબતમાં તેમની કૃપા એ જ કારણરૂપ છે; કેમ કે ભગવાનના ભકતો દ્વારા ભગવાનના પ્રેમ, પ્રભાવ, તત્ત્વ અને રહસ્યની વાતો સાંભળવાથી અને શાસ્ત્રોનો અભ્યાસ કરવાથી ભગવાનમાં શ્રદ્ધા થાય છે અને ત્યારે મનુષ્ય ઉપરોકત ભકિત પ્રાપ્ત કરી શકે છે. તેથી ભગવાન અને તેમના ભકતની દયા મેળવવા માટે તેમની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. આ પ્રકારની માત્ર કીર્તન-ભક્તિથી પણ મનુષ્ય પરમાત્માની દયાથી તેમનામાં અનન્ય પ્રેમ કરીને તેમને પ્રાપ્ત કરી શકે છે. ગીતામાં ભગવાને કહ્યું છે કે अपि चेत्सुदुराचारो भजते मामनन्यभाक् । साधुरेव स मन्तव्यः सम्यग्व्यवसितो हि सः ।। क्षिप्रं भवति धर्मात्मा शश्वच्छान्तिं निगच्छति । कौन्तेय प्रतिजानीहि न मे भक्तः प्रणश्यति ।। ( ૬-૨-૨ ) * જો કોઈ અતિશય દુરાચારી પણ અનન્ય ભાવથી મારે ભક્ત થઈને મારુ નિરંતર ભજન કરે છે તે તે સાધુ જ માનવા બળથી કરવા યોગ્યને ત્યાગ અને નિષિદ્ધનું આચરણ, અન્ય ધર્મો સાથે નામની તુલના યાને શાસ્ત્રવિહિત કર્મો સાથે નામની તુલના-આ બધા ભગવાન શિવ અને વિષ્ણુના નામજપમાં દસ અપરાધ છે.
SR No.005963
Book TitleNavdha Bhakti
Original Sutra AuthorN/A
AuthorJaydayal Goyandka
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1977
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy