________________
શ્રવણ
૧૫
તે શુકદેવજીના મુખમાંથી નીકળેલા ભગવતકથારૂપી અનુપમ અમૃતનું પાન કરે. શ્રવણથી મુકિત થાય છે, એ કથનના પરીક્ષિત સાક્ષી–પ્રત્યક્ષ પ્રમાણ છે.
ધુન્ધકારી જેવો પાપી પણ માત્ર ભગવાનના ગુણાનુવાદો સાંભળવાના પ્રભાવથી તરી ગયો અને શૌનક વગેરે ઘણાયે ઋષિઓ પણ પુરાણ અને ઈતિહાસના શ્રવણમાં જ પોતાનો સમય ગાળ્યા કરતા હતા. તેઓ કદી પણ કંટાળતા નહોતા.
આ મનુષ્ય જીવન માટે આનાથી બીજો કોઈપણ શ્રવણ કરવા યોગ્ય વિષય નથી અને એ મહાપુરુષોના સમાગમથી જ પ્રાપ્ત થાય છે. તેથી મહાપુરુષોના સમાગમ સિવાય આનંદદાયક લાભપ્રસંગ સંસારમાં કોઈપણ પદાર્થ મનુષ્યોને માટે નથી. શ્રીમદ્ ભાગવતમાં સૂતજી કહે છે કે
तुलयाम लवेनापि न स्वर्ग नापुनर्भवम् । भगवत्सङ्गिसङ्गम्य मानां किमुताशिषः ।
( ૧-૨૮-૨ ) ભગવત્સંગી અર્થાત, નિત્ય ભગવાનની સાથે રહેનારા અનન્ય પ્રેમી ભકતોના ક્ષણમાત્રના સમાગમની સાથે અમે સ્વર્ગ તથા મોક્ષની પણ સરખામણી કરી શકતા નથી, તે પછી મનુષ્યોએ ઈચ્છેલા પદાર્થોની તો વાત જ શી !' - તેથી પોતાનું સમગ્ર જીવન મહાપુરુષોના સમાગમમાં રહેતાં રહેતાં જ ભગવાનનાં નામ, રૂપ, ગુણ, પ્રેમ, પ્રભાવ, રહસ્ય અને તવની અમૃતમય કથાઓ નિરંતર સાંભળવામાં જ ગાળવું જોઈએ અને તે સાંભળી સાંભળીને પ્રેમ અને આનંદમાં મુગ્ધ થતાં થતાં પોતાના મનુષ્ય જીવનને સફળ કરવું જોઈએ.