SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ વક્તવ્ય ૧૨૧ ઝરતી અલૌકિક ચંદ્રજ્યોત્સાઓ છે, રાગાદિ આંતરિક મહાક્લેશોને ધ્વસ કરનારી અમૃત કુંપિકાઓ છે અને મોક્ષમાર્ગને બતાવનારી દીપિકાઓ છે. આ ચાર ભાવનાઓની સાથે અહર્નિશ યથેચ્છ રીતે રમતો યોગી અત્યંત, સાતિશય અને અતીંદ્રિય એવા આત્મિક સુખને આ લોકમાં જ નિશ્ચયતઃ પામે છે. આ ભાવનાઓમાં સંલીન બનેલો આત્મા જગતના સ્વરૂપને જાણીને મુગ્ધ બનતો નથી, પણ તેથી અધ્યાત્મને નિશ્ચયથી (સ્વરૂપરમણતાને) પામે છે. આ ભાવનાઓ જ્યારે સારી રીતે અભ્યસ્ત થાય છે ત્યારે યોગનિદ્રા(ધ્યાન)માં સ્વૈર્ય આવે છે. મોહનિદ્રા દૂર થાય છે અને તત્ત્વનો વિનિશ્ચય થાય છે. જિતેંદ્રિય અને જિતકષાય એવો યોગી જ્યારે સમગ્ર વિશ્વને અહર્નિશ આ ભાવનાઓ વડે જુએ છે, ત્યારે પરમોદાસીન્યને પામેલા તે અહીં મુક્તાત્માની જેમ વિચરે છે.” એમ ચાર ભાવનાઓનું મહત્ત્વ જે જે રીતે મનમાં વધે તે તે રીતે ઉપાદેય છે. આ ચાર ભાવનાઓ પરમ મંગલ છે, માટે તે પરમ મંગલને સાધકે સદેવ ચિત્તમાં સ્થાપિત કરવું જોઈએ અને પોતાના જીવનને મંગલમય બનાવવું જોઈએ. सावनास्वासु संलीन:, करोत्यध्यात्मनिश्चयम् । अवगम्य जगद्वृत्तं, विषयेषु न मुह्यति ॥१७॥ योगनिद्रा स्थितिं धत्ते, मोहनिद्राऽपसर्पति । आसु सम्यक्प्रणीतासु, स्यान्मुनेस्तत्त्वनिश्चयः ॥१८॥ आभिर्यदानिशं विश्वं, भावत्यखिलं वशी । तदौदासीन्यमापन्नश्चरत्यत्रैव मुक्तवत् ॥१९॥
SR No.005961
Book TitleDharmbij
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherVishvakalyan Prakashan Trust
Publication Year2013
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy