SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ એક પત્ર : આત્મસાધકને પ્રિય આત્મસાધક, સસ્નેહ આત્મવંદન, તમારો પત્ર મળ્યો. તમે લખ્યું છે કે બે વર્ષથી હું સિવિયર ડિપ્રેશનથી પીડાઉ છું. મુંબઈ-અમદાવાદ-કલકત્તાના ઘણા બધા સારા ડૉક્ટરોને મળી ચૂકયો છું. મનની આ ઊંડી ઉદાસીની દવાઓ પણ મેં લીધી, પણ હજુ સુધી કંઈ ફરક પડયો. નથી. મને સમજાતું નથી કે મારે હવે શું કરવું? આનો શું કોઈ ઇલાજ જ નથી?” છે, ઇલાજ છે ! તમે મનની તીવ્ર ઉદાસીનો, મંદોત્સાહનો-ડિપ્રેશનનો જે અનુભવ કરી રહ્યા છો, એવો અનુભવ ઘણા બધાને કોઈને કોઈ વખતે થતો હોય છે. આવા કેસોમાં મનોચિકિત્સકોનો એક ચોકકસ અભિગમ હોય છે. અને તેમની આપેલી દવાઓથી ઘણા લોકોને ફાયદો પણ લાગે છે. તમને કોઈ ફાયદો નથી, લાગતો, એ પણ હકીકત છે. મિત્ર, કોઈ દેખીતા કારણ વિના તમે તમારા મનમાં “ઓટ'નો અનુભવ કરો. છો. તમને તમારા જીવનમાં કોઈ રસ ના રહ્યો હોય, એવું લાગે છે! કોઈની સાથે વાતો કરવી પણ ગમતી નથી ને ? પાંજરામાં પુરાયેલા ઉંદરની જેમ તમારૂં મન અંદરને અંદર દોડયા કરે છે. એમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ તમને દેખાતો નથી. મનની આવી મંદીના કેટલાંક કારણ હોય છે. ગૃહસ્થોના જુદાં, સાધુઓના - સાધકોના જુદા. બંનેની સમાનતા એક હોય છેઃ એક સરખા દિવસો, એક સરખો જ નિત્યક્રમ અને એક જ ઘરેડની આ જીંદગીથી કંટાળો! અહીં-તહીં મનને પ્રફુલ્લિત કરવા માટેના ઇલાજો કરે છે, પરંતુ મન, ઉત્સાહ-ઉમંગની કોઈ ભરતી અનુભવતું નથી! કશું જ ગમતું નથી. કયાંય સારું લાગતું નથી. ખોટા-ખોટા વિચારો આવ્યા કરે છે. રોજિંદા કાર્યો શૂન્યમનસ્ક કે અન્યમનસ્ક રીતે કરે છે. ફુરસદમાં કંટાળાની લાગણી તીવ્ર બને છે ! તમને આ વાતો સાચી લાગશે. લાગે છે ને? આવા સંજોગોમાં મનની જે મંદી જન્મી, નિરાશાહતાશાની પ્રબળ લાગણીથી મન ભરાઈ ગયું અને નિરર્થકતાનિષ્ફળતાની લાગણી ડંખ્યા કરી, ત્યારે તમે મને પત્ર લખી નાંખ્યો, બરાબરને? સારું કર્યું તમે મને પત્ર લખ્યો. મને તમે ઘણું ચિંતન-મનન કરવા પ્રેર્યો. મોટા ભાગે તો મારી એવી ધારણા હતી કે ડિપ્રેશન'નો આ રોગ ગૃહસ્થોને થાય છે. પરંતુ તમારા પત્રથી મારી ઝાંખી ઝાંખી ધારણા નિશ્ચિત બની કે સાધકોને - સાધુઓને (સાધ્વીઓને પણ) પણ ડિપ્રેશન - મનની મંદી આવે છે. તમે તો પ્રૌઢ - સાધુ છો, (લગભગ ૫૦ વર્ષ) યુવાન સાધુઓને પણ ડિપ્રેશન’ આવે છે. આનાં
SR No.005960
Book TitlePio Anubhav Ras Pyala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust
Publication Year1995
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy