________________
अस्मिन् संसारकान्तारे स्मेरमाया लतागृहे । अश्रान्तं शेरते हंत, पुमांसो हतचेतसः ॥४३॥
: અર્થ : આ સંસારરૂપ જંગલમાં, વિકાસ પામેલા માયારૂપ લતામંડપમાં દયાહીન પુરુષો ભાર વિનાના થઈને હંમેશા સૂઈ રહે છે !
.: વિવેચન : તીર્થકર ભગવંતોએ આ સંસારને જંગલરૂપે જોયું છે.
આ જંગલમાં અનેક લતામંડપો છે. એમાં કેટલાક લતામંડપ માયાના છે ! એ લતામંડપોમાં દ્ધયહીન - ભાન વિનાના માણસો સૂઈ રહે છે. જો કે એ લોકો નિરાંતે સુતા નથી, સુવાનો ઢોંગ કરે છે. માયાના મંડપ નીચે કયારેય મનુષ્ય નિરાંતે ઊંઘી શકતો નથી, નિશ્ચિત બનીને સૂઈ શકતો નથી.
માયાનો આ લતામંડપ સામાન્ય મંડપ નથી, વિકસિત વેલોનો લતામંડપ છે. આ લતામંડપની નીચે મનુષ્યના હૃદયની સરળતા હણાઈ જાય છે. તે બેહોશ બની જાય છે અને લતામંડપમાં પડયો રહે છે. જ્ઞાનનયન એનાં બીડાઈ જાય છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે - विकसितमाया वेली-घर, भव अटवी के बीच, सोवत है नित मूढ नर, नयन ज्ञान के मीच. માયાવી મનુષ્યને ગ્રંથકારે મૂઢ કહ્યો છે અને અજ્ઞાની કહ્યો છે. ભલે પછી એ અનેક શાસ્ત્રો ભણ્યો હોય કે અનેક કલાઓને એ જાણતો હોય. માયાવી અજ્ઞાની જ હોય, મૂઢ જ હોય.
માયાવી, માયાના ભયંકર અપાયોને જાણતો નથી, એ એની મૂઢતા છે. માયાવી, માયાના નુકસાનોને લાભ' સમજે છે, એ એની ઘોર અજ્ઞાનતા છે.
છતાં, માયા એક વિકસિત લતામંડપ છે ! માટે એમાં વિશ્રામ કરવા અસંખ્ય જીવો લલચાય છે ! અને એમાં પડયા-પાથર્યા રહે છે. ૪૪ SANGANGASARAN શામ્યશતક